Ankleshwar: અંતિમયાત્રા કાદવ-કીચડમાંથી કાઢવાની નોબત, સ્થાનિક મહિલાઓનો પાલિકા પ્રમુખને ખુલ્લો પડકાર
અંકલેશ્વરના સુરતી ભાગોળ વિસ્તારમાં રસ્તાઓની ભયંકર ખરાબ હાલતથી લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. વિસ્તારમાં રસ્તા પર એટલો કાદવ-કીચડ છે કે તાજેતરમાં એક પરિવારની અંતિમયાત્રા પણ કાદવમાંથી કાઢવી પડી હતી. નગરપાલિકાની આ ઘોર બેદરકારી સામે સ્થાનિક મહિલાઓએ ભારે આક્રોશ વ્યક્ત કરતા ચીમકી
Advertisement
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં નગરપાલિકાની કામગીરી સામે લોકોનો રોષ ચરમસીમાએ પહોંચ્યો છે. સ્માર્ટ સિટીની વાતો વચ્ચે અંકલેશ્વરના સુરતી ભાગોળ વિસ્તારમાં રસ્તાઓની એટલી બદતર હાલત છે કે સ્થાનિકોને અંતિમયાત્રા પણ કાદવ-કીચડમાંથી કાઢવાનો વારો આવ્યો છે. આ હૃદયદ્રાવક અને શરમજનક દ્રશ્યોએ પાલિકાની ઘોર બેદરકારી છતી કરી છે.

