Vadodara: માંજલપુર પેટાચૂંટણી માટે ભાજપ ઉમેદવાર જાહેર, સતીશ પટેલના નામની જાહેરાત
વડોદરાની માંજલપુર બેઠક લાંબા સમયથી રાજકીય ચર્ચાના કેન્દ્રમાં છે, ખાસ કરીને યોગેશ પટેલના અવસાન બાદ આ બેઠક પર કોણ કબજો જમાવશે તે જોવું રહ્યું. હવે ભાજપે પોતાના ઉમેદવાર તરીકે સતીશ ગોવિંદભાઈ પટેલના નામની સત્તાવાર જાહેરાત કરી દીધી છે.
Advertisement
વડોદરાના રાજકીય ગલિયારામાં અત્યારે માંજલપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણી (Manjalpur Bye-Election) સૌથી ચર્ચિત વિષય બની છે. લાંબા સમયથી ચાલી રહેલી અટકળોનો અંત લાવતા ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા આ મહત્વપૂર્ણ બેઠક માટે ઉમેદવારના નામની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. ભાજપના મોવડી મંડળે વરિષ્ઠ નેતા સતીશ ગોવિંદભાઈ પટેલ (Satish Govindbhai Patel) પર પસંદગીનો કળશ ઢોળ્યો છે.

