આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા
અકસ્માતને પગલે આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને પોલીસ તથા 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. આ ઘટનામાં 3 લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત થયા હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે અન્ય 4 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ઘાયલોને તાત્કાલિક રાજકોટની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત નાજુક હોવાનું કહેવાય છે.
ઘટના બાદ હાઈવે પર ટ્રાફિકની
અકસ્માતની ઘટના બાદ હાઈવે પર ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાઈ હતી. બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી જતાં મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ઘટનાની જાણ થતા જ કુવાડવા અને એરપોર્ટ પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે ટ્રાફિકને નિયંત્રણમાં લેવાની કામગીરી હાથ ધરી હતી અને મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની તજવીજ શરૂ કરી હતી.
મૃતકોના પરિવારજનોમાં ભારે શોક
પ્રાથમિક તપાસમાં પોલીસ અકસ્માત કઈ રીતે થયો અને વાંક કોનો હતો તે દિશામાં તપાસ કરી રહી છે. હાઈવે પર અવારનવાર બનતી આવી ઘટનાઓ માટે તંત્રની કામગીરી પર પણ સવાલો ઉઠી રહ્યા છે. હાલ પોલીસ દ્વારા અકસ્માતનો ગુનો નોંધીને આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ દુર્ઘટનાના સમાચાર મળતા જ મૃતકોના પરિવારજનોમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે. વહીવટી તંત્ર દ્વારા હાઈવે પર ટ્રાફિક વ્યવસ્થા ફરી પૂર્વવત કરવાના પ્રયાસો ચાલુ છે. મુસાફરોને વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે.
આ પણ વાંચો: Ahmedabad Plane Crash: જે ડૉક્ટર્સની શિફ્ટ પૂરી થઈ ,તેઓ ઘરે જવાને બદલે ઓપરેશન થિયેટર તરફ દોડ્યા