Sairam Dave Father Death Rajkot: જાણીતા લોકસાહિત્યકાર સાંઈરામ દવેના પિતાનું નિધન, આવતીકાલે અંતિમયાત્રા નિકળશે
હાસ્ય અને લોકસાહિત્યની રમઝટ બોલાવતા લોકસાહિત્યકાર સાંઈરામ દવેના પરિવાર પર આજે દુઃખના વાદળો છવાયા છે. તેમના પિતા વિષ્ણુપ્રસાદ દવેનું નિધન થતા કલા અને સાહિત્ય જગતમાં શોક છવાઈ ગયો છે. આવતીકાલે રાજકોટના મોટામૌવા સ્મશાન ખાતે તેમની અંતિમયાત્રા અને અંતિમવિધિ યોજાશે.
Advertisement
Sairam Dave Father Death Rajkot: ગુજરાતના લોકપ્રિય હાસ્યકલાકાર અને લોકસાહિત્યકાર સાંઈરામ દવેના પિતા વિષ્ણુપ્રસાદ દવેનું અવસાન થયું છે. આ સમાચાર મળતા જ ગુજરાતી સાહિત્ય જગત, સાંઈરામ દવેના ચાહકો અને તેમના પરિવારમાં ઘેરા શોકની લાગણી છવાઈ ગઈ છે. વિષ્ણુપ્રસાદ દવે પોતે પણ સાહિત્યિક સંસ્કારો ધરાવતા વ્યક્તિત્વ હતા અને સાંઈરામ દવેને મળેલા સાહિત્યિક વારસા પાછળ તેમનું મોટું યોગદાન રહ્યું છે.

