Surat: કેન્દ્રીય મંત્રી C.R. પાટીલ અને રામમોહન નાયડૂની બેઠકમાં સુરતની એર કનેક્ટિવિટી વધારવા પર ભાર
નવી દિલ્હીમાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠક બાદ સુરતના ઉદ્યોગપતિઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ અને નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડૂ સાથેની આ મુલાકાત સુરતની હવાઈ કનેક્ટિવિટી માટે ગેમ-ચેન્જર સાબિત થઈ શકે છે. લાંબા સમયથી ઉદ્યોગ જગત જે માંગ કરી રહ્યું હતું, તે દિશામાં સરકારે મોટું પગલું ભરવાની ખાતરી આપી છે.
Advertisement
Surat Air Connectivity: નવી દિલ્હી ખાતે કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલના નિવાસસ્થાને સુરતના હવાઈ જોડાણ મુદ્દે એક ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. આ મહત્વપૂર્ણ બેઠકમાં કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કિંજરાપુ રામમોહન નાયડૂ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સુરત જેવા ઝડપથી વિકસતા વેપારી મથક માટે હવાઈ સેવાઓનું વિસ્તરણ અત્યંત અનિવાર્ય હોવાથી આ બેઠક પર સૌની નજર હતી.

