Surat: વરાછાના વેપારીઓની વ્હારે આવ્યા DyCM, સહાય માટે કલેક્ટર કચેરીમાં બેઠક
સુરતના વરાછામાં પૂરથી થયેલા નુકસાન બાદ વેપારીઓ પર આર્થિક સંકટ તોળાઈ રહ્યું છે. આ મુશ્કેલ સમયમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પોતે સ્થળ પર જઈને વેપારીઓની વ્યથા સાંભળી છે. નુકસાનીમાંથી બહાર આવવા માટે વેપારીઓને કલેક્ટર કચેરીમાં ખાસ બેઠક માટે આમંત્રણ અપાયું છે.
Advertisement
Harsh Sanghavi Surat: સુરત શહેરમાં તાજેતરમાં સર્જાયેલી પૂર જેવી પરિસ્થિતિને કારણે વરાછા (Varachha) વિસ્તારના વેપારીઓ ભારે આર્થિક મુશ્કેલીમાં મુકાયા છે. સ્થિતિની ગંભીરતાને પારખીને DyCM હર્ષભાઈ સંઘવી (Harsh Sanghavi) તાત્કાલિક અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા હતા. તેમણે વરાછામાં પગપાળા ચાલીને સ્થિતિનું જાતનિરીક્ષણ કર્યું હતું.

