ગુજરાત સરકારની મોટી જાહેરાત: બ્લાસ્ટના મૃતકોના પરિવારોને 10 લાખ અને ઈજાગ્રસ્તોને 5 લાખની સહાય
Ahmedabad Serial Blast Verdict: નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ વર્ષ 2008ના અમદાવાદ બ્લાસ્ટ કેસમાં હાઈકોર્ટના 38 આતંકીઓને ફાંસી અને 11ને આજીવન કેદના ઐતિહાસિક ચુકાદાને આતંકવાદ સામે દેશની મોટી જીત ગણાવી આવકાર્યો છે. આ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સરકાર દ્વારા મૃતકોના આશ્રિતોને 10 લાખ અને ગંભીર ઈજાગ્રસ્તોને 5 લાખની સહાય તાત્કાલિક ચૂકવવાની જાહેરાત કરાઈ છે.
Advertisement
Ahmedabad Serial Blast Verdict: ગુજરાતના નાયબ મુખ્યમંત્રી (Deputy Chief Minister) હર્ષભાઈ સંઘવીએ (Harsh Sanghavi) ગાંધીનગર (Gandhinagar) ના ગિફ્ટ સિટી ખાતેથી ‘વર્ષ-2008ના અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસ’ (Ahmedabad Serial Bomb Blast Case) માં ગુજરાત હાઈકોર્ટ (Gujarat High Court) ના ચુકાદાને હૃદયપૂર્વક આવકાર્યો છે. તેમણે આ દિવસને દેશના ઈતિહાસનો સીમાચિહ્નરૂપ દિવસ ગણાવતા સ્પષ્ટ કર્યું હતું કે, ભારત અને ગુજરાતની ધરતી પર આતંકવાદ (Terrorism) કે કોઈ પણ રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ માટે કોઈ જ સ્થાન નથી. આ ચુકાદો સમગ્ર વિશ્વના શાંતિપ્રિય દેશો માટે એક મજબૂત સંદેશ છે.

