Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Chirag Tyadi Murder Case : પેરા એથ્લેટિક્સ જગતમાં સનસનાટી, ચકચારી હત્યા કેસનો ઉકેલાયો ભેદ

Chirag Tyadi Murder Case : ગાઝિયાબાદમાં ગોલ્ડ મેડલિસ્ટ પેરા-એથ્લીટ ચિરાગ ત્યાગીની ગોળીબારીમાં થયેલી હત્યામાં એક મોટો ખુલાસો થયો છે. પોલીસે તેના સાથી પેરા-એથ્લીટ યશ ખટીકની ધરપકડ કરી છે. આરોપીએ ફરિયાદના કારણે રમતમાંથી બાકાત રાખવા બદલ ચિરાગની હત્યા કરી હોવાની કબૂલાત કરી છે.
chirag tyadi murder case   પેરા એથ્લેટિક્સ જગતમાં સનસનાટી  ચકચારી હત્યા કેસનો ઉકેલાયો ભેદ
Advertisement

Chirag Tyadi Murder Case : આંતરરાષ્ટ્રીય મંચ પર રાષ્ટ્રધ્વજ ફરકાવવાનું સ્વપ્ન જોનારા 24 વર્ષીય આશાસ્પદ પેરા-એથ્લીટ ચિરાગ ત્યાગીની ગોળી મારીને ક્રૂરતાથી હત્યા કરવામાં આવી છે. આ સનસનાટીભર્યા હત્યાકાંડનો ખુલાસો કરતા પોલીસે ચિરાગના લાંબા સમયના મિત્ર અને સાથી પેરા-એથ્લીટ યશ ખટીકની ધરપકડ કરી છે. સીસીટીવી ફૂટેજના આધારે, આરોપીએ રમતગમત સંબંધિત જૂના વિવાદ અને ફરિયાદનો બદલો લેવા માટે ચિરાગને નજીકથી ગોળી મારી હોવાની કબૂલાત કરી હતી.

બે દિવસ પહેલા ગોલ્ડ જીત્યો હતો, જાપાન જવાની તૈયારી કરી રહ્યો હતો

પૂછપરછ દરમિયાન, આરોપી યશ ખટીકે ખુલાસો કર્યો કે તે અને ચિરાગ જૂના મિત્રો હતા અને શાળાના દિવસોમાં વર્ગમાં સાથે એથ્લેટિક્સની તૈયારીઓ કરતા હતા. થોડા સમય પહેલા, ચિરાગે દસ્તાવેજ ચકાસણી દરમિયાન યશ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, જેના પરિણામે યશની લાયકાત રદ કરવામાં આવી હતી અને તેને સ્પર્ધામાંથી બાકાત રાખવામાં આવ્યો હતો. આનાથી ગુસ્સે થઈને, યશ બદલો લેવા માટે તૈયાર હતો. તેણે પિસ્તોલ શોધી કાઢી અને તક મળતાં જ ચિરાગને ગોળી મારી દીધી. ચિરાગ ત્યાગી ગાઝિયાબાદના મુરાદનગર વિસ્તારના બસંતપુર સેંથલી ગામનો રહેવાસી હતો. તે દેશના ઉભરતા પેરા-એથ્લીટ્સમાંનો એક હતો. બે દિવસ પહેલા જ તેણે બેંગલુરુમાં નેશનલ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં 400 મીટર દોડમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ જીત બાદ, તેને આ વર્ષે ઓક્ટોબરમાં જાપાનમાં યોજાનારી પેરા એશિયન ગેમ્સ માટે પસંદ કરવામાં આવ્યો. જ્યારે પરિવાર ઉજવણી કરી રહ્યો હતો.

Advertisement

પોલીસ કાર્યવાહી અને તપાસનો ધમધમાટ શરૂ

બુધવારે સવારે ચિરાગ પોતાના હોસ્ટેલ જવાનું કહીને ઘરેથી નીકળ્યો હતો. લાંબા સમય સુધી તેનો સંપર્ક ન થતાં તેનો પરિવાર ચિંતિત હતો. પોલીસને બપોરે 3 વાગ્યે સાંઈ કુંજ (સાંઈ ઉપવન) વિસ્તારમાં એક યુવાનના મૃતદેહ મળી આવ્યો હોવાની માહિતી મળી હતી. ઘટનાસ્થળે પહોંચેલા પરિવારના સભ્યોએ ચિરાગના મૃતદેહની ઓળખ કરી હતી. ચિરાગના પિતરાઈ ભાઈ આશિષ ત્યાગીએ શરૂઆતમાં હત્યાની શંકા વ્યક્ત કરી હતી અને કડક કાર્યવાહીની માગ કરી હતી. ગાઝિયાબાદના ડેપ્યુટી પોલીસ કમિશનર (ડીસીપી) ધવલ જયસ્વાલે જણાવ્યું હતું કે આરોપી યશ ખટીકને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે અને વધુ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. હત્યામાં વપરાયેલી પિસ્તોલ મેળવવા માટે પોલીસ ટીમો દરોડા પાડી રહી છે. ગુનામાં યશ સાથે અન્ય કોઈ સંડોવાયેલ છે કે કેમ તે અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખેસડવામાં આવ્યો છે.

Advertisement

આ પણ વાંચો : Surya Chauhan Murder Case : ગાઝિયાબાદ હત્યા કેસના મુખ્ય આરોપી અસદનું પોલીસ એન્કાઉન્ટરમાં મોત

Tags :
Advertisement

.

×