સિંહે ભીડમાંથી એક બાળકને તરાપ મારીને પોતાનો શિકાર બનાવી લીધું હતું અને તેને જંગલના ગાઢ વિસ્તારમાં ખેંચી ગયો હતો. અચાનક બનેલી આ ઘટનાથી પરિવાર અને આસપાસના લોકો સ્તબ્ધ થઈ ગયા હતા. બાળકને બચાવવાનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો.
હજી બાળક મળી આવ્યું નથી
ઘટનાની જાણ થતા જ વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. વન વિભાગ દ્વારા અત્યારે અલગ-અલગ ટુકડીઓ બનાવીને ગિરનારના ડુંગરાળ અને ગાઢ જંગલ વિસ્તારમાં બાળકને શોધવા માટે સર્ચ ઓપરેશન સઘન બનાવવામાં આવ્યું છે.
જોકે, હજુ સુધી બાળકના પરિવાર વિશે કે તેઓ ક્યાંથી આવ્યા હતા, તે વિશેની વિગતો સ્પષ્ટ થઈ શકી નથી, જે તપાસનો વિષય છે.
ગિરનાર વિસ્તાર સિંહોનું કુદરતી નિવાસસ્થાન છે
શ્રદ્ધાળુઓની અવરજવર વાળા માર્ગ પર સિંહ દ્વારા બાળકને ઉઠાવી જવાની આ ઘટનાએ વન વિભાગની સુરક્ષા વ્યવસ્થા સામે મોટા પ્રશ્નો ઉભા કર્યા છે. યાત્રિકોમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે અને લોકોમાં રોષ પણ છે.
સિંહની સતત વધતી અવરજવર અને માણસો સાથેના સંઘર્ષને જોતા વન વિભાગે હવે યાત્રિકોની સુરક્ષા માટે વધુ કડક પગલાં લેવા પડશે તે સ્પષ્ટ છે. અત્યારે સમગ્ર તંત્ર બાળકને શોધી કાઢવા માટે કામે લાગ્યું છે, પરંતુ આ ઘટનાએ ગિરનાર યાત્રાને લઈને શ્રદ્ધાળુઓ માટે ભયનું વાતાવરણ ઊભું કર્યું છે.
આ પણ વાંચો : Vadodara ના પાદરાની સ્કૂલમાં વિદ્યાર્થીની સાથે અત્યાચાર, CM સુધી પહોંચી ફરિયાદ