Junagadh પંથકમાં મેઘરાજાની મહેર, કેશોદ અને માળિયાહાટીનામાં ધીમી ધારે વરસાદથી ખેડૂતોમાં આનંદની લાગણી
Junagadh જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે અને કેશોદ તેમજ માળિયાહાટીના ના વિસ્તારમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. માળિયાહાટીનાના ગળોદર,ગડુ, આંબેચા સહીતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો હોવાની વાત સામે આવી છે.
Advertisement
Junagadh : હાલમાં સમગ્ર સૌરાષ્ટ્રમાં મેઘરાજાના આગમનની પ્રતીક્ષા વચ્ચે જૂનાગઢ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. કેશોદ અને માળિયાહાટીના પંથકમાં આજે વાતાવરણમાં આવેલા પલટા બાદ ધીમી ધારે વરસાદ શરૂ થતાં ધરતીપુત્રોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.

