Junagadh : MLA એ 50 લાખની ગ્રાન્ટ આપી, છતાં જૂનાગઢના ઐતિહાસિક કુંડને બચાવવા જનતાએ કરવો પડ્યો શ્રમયજ્ઞ
Junagadh ના શિતળા કુંડ નજીકના રહીશોએ શરૂ કર્યું શ્રમદાન અને શિતળા કુંડમાં આવતા ગટરના પાણી રોકવા કામગીરી જનતાએ કરવી પડી રહી છે. સ્થાનિકોએ રોડ ઊંડો ઉતારવાની કામગીરી શરુ કરી છે અને કુંડ રોડ લેવલથી નીચે હોવાથી આવી રહ્યું છે ગટરનું પાણી.
Advertisement
Junagadh : શિવાલય તેમજ અન્ય મંદિરમાં ઘૂસી રહ્યું છે ગટરનું પાણી તેના કારણે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. કુંડના નવીનીકરણ માટે MLAએ 50 લાખની આપી છે ગ્રાન્ટ તેમ છત્તા કામગીરી તંત્ર કરતું નથી. સ્થાનિકોએ 2 દિવસ પહેલા મનપામાં કરી હતી ઉગ્ર રજૂઆત અને કામ શરુ ન થતા સ્થાનિકો દ્વારા શરુ કરાયો શ્રમયજ્ઞ.

