તો પેટા ચૂંટણીની જાહેરાત થતા આચારસંહિતા લાગુ થઈ છે. સતત ત્રણ મહિના સુધી પૂર્વ મંજૂરી વગર સામાન્ય સભાઓમાં ગેરહાજર રહેતા કમિશનરે 20 માર્ચ 2026 થી આ બેઠક ખાલી જાહેર કરી છે.
અબ્બાસ કુરેશીને આ કારણે થઈ જેલ
અબ્બાસ કુરેશી અને તેમના ભાઈ અસલમ ઉર્ફે લાલો કુરેશી વિરુદ્ધ પોલીસે સંગઠિત અપરાધ નિવારણ ધારા (ગુજસીટોક) હેઠળ કાર્યવાહી કરી છે. ગુજરાતમાં સત્તાધારી પક્ષના ચાલુ કોર્પોરેટર વિરુદ્ધ આવા કડક કાયદાનો ઉપયોગ થયો હોય તેવો આ કિસ્સો છે.
પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે આ ગેંગ આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડના નેટવર્ક સાથે જોડાયેલી હતી. ડિસેમ્બર 2025 માં અંદાજે 305 કરોડ રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું, જેમાં આંગડિયા મારફતે નાણાં ભાવનગર મોકલી ત્યાંથી ક્રિપ્ટોકરન્સી દ્વારા દુબઈ ટ્રાન્સફર કરવામાં આવતા હતા. આ સિવાય આ ટોળકી સામે હત્યાની કોશિશ અને પોલીસ પર હુમલા જેવા ગંભીર કેસો પણ નોંધાયેલા છે.
જૂનાગઢમાં રાજકીય હલચલ
આ ચૂંટણીની જાહેરાત સાથે જ સમગ્ર વોર્ડ નં. 3 વિસ્તારમાં આચારસંહિતાનો અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે. ચૂંટણીના આગમનને પગલે રાજકીય પક્ષોમાં તૈયારીઓનો ધમધમાટ શરૂ થઈ ગયો છે.
વોર્ડના મતદારો હવે કોના પર વિશ્વાસ મૂકશે અને આગામી કોર્પોરેટર તરીકે કોણ ચૂંટાશે તે જોવું રસપ્રદ રહેશે. વહીવટી તંત્ર દ્વારા પણ મુક્ત અને ન્યાયી મતદાન માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી રહી છે. સ્થાનિક રાજકારણમાં આ પેટા ચૂંટણી મહત્વની માનવામાં આવે છે.
આ પણ વાંચો : Bhavnagar Rain : મહુવામાં ખાબકયો 6 ઈંચ વરસાદ, પાલિકાની ઘોર બેદરકારીને કારણે ઘરોમાં ઘૂસ્યા વરસાદી પાણી