સગીરાને લાલચ આપી ભગાડી જઈ અવારનવાર શારીરિક સંબંધ બાંધ્યાની ફરિયાદ નોંધાઈ હતી.જેમાં ખ્વાજા સાહેબ દરગાહ ખાતે ગત વર્ષે જુલાઈ 2025 માં સગીરાને બળજબરીથી ઇસ્લામ કબુલ કરાવાયો હતો. ભોગ બનનાર સગીરાનું અપહરણ કરનાર મુખ્ય આરોપી જાહીન અબદુલ ચૌહાણની 13 જૂને જ થઈ ચૂકી છે ધરપકડ.
સગીરા મામલે તપાસનો વ્યાપ વધ્યો
પકડાયેલા કાઝી મોહમદ રમજાનને કોર્ટમાં રજૂ કરી આગામી 19 જૂન સુધીના રિમાન્ડ મેળવ્યા છે. કેસની ગંભીરતા જોતાં પોલીસ દ્વારા ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય સુધારા અધિનિયમ 2021ની કલમ 4(ક)નો ઉમેરો કરાયો.
આરોપીઓ વિરૂદ્ધ પોક્સો એક્ટ તેમજ બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમની કલમો હેઠળ પણ કડક કાર્યવાહી કરાઈ છે. સરહદી રેન્જ ભુજ આઈજી ચિરાગ કોરડિયા અને એસપી સાગર બાગમારની સૂચનાથી તાત્કાલિક એક્શનમાં પોલીસ આવી હતી તો ભચાઉ ડીવાયએસપી સાગર સાંબડાના માર્ગદર્શનમાં પીઆઈ આર.એલ.ખટાણા અને સ્ટાફે ઓપરેશન પાર પાડ્યું.
રાપર વિસ્તારમાંથી સગીરાનું અપહરણ કરનાર આરોપી ઝડપાયો
પૂર્વ કચ્છ પોલીસે રાપર વિસ્તારમાંથી સગીરાનું અપહરણ કરનાર આરોપી જાહિન અબ્દુલ ચૌહાણની ધરપકડ કરી છે. આરોપીએ નિકાહ કરવાના ઇરાદે સગીરાનું અપહરણ કર્યું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.આ ઘટના થોડા દિવસો પહેલા રાપર વિસ્તારમાં બની હતી. સગીરાના અપહરણની જાણ થતાં જ પૂર્વ કચ્છ પોલીસે ગુનાખોરો સામે કાર્યવાહી શરૂ કરી હતી અને વિવિધ ટીમો બનાવીને તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.
આ પણ વાંચો : Bhavnagar નો રોનાલ્ડો બન્યો ભારતનો સ્ટાર, ચાર વર્ષમાં બાસ્કેટબોલની દુનિયામાં મચાવી ધૂમ