Ahmedabad RTO: અમદાવાદમાં રૂ. 62 કરોડના ખર્ચે નવનિર્મિત RTO કચેરીનું ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઇ સંઘવીના હસ્તે ઉદ્ઘાટન
Ahmedabad RTO: અમદાવાદમાં રૂ. 62 કરોડના ખર્ચે તૈયાર થયેલી નવી હાઇટેક RTO કચેરીનું ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઇ સંઘવીએ ઉદ્ઘાટન કર્યું છે. આ કચેરીમાં સેન્ટ્રલ એસી ડોમ અને પ્રીમિયમ સેટિંગ જેવી આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ છે. અદ્યતન ટેકનોલોજીના કારણે સર્વર ડાઉન થવાની સમસ્યા ઘટશે અને નાગરિકોને લાંબી લાઈનોમાંથી કાયમી મુક્તિ મળશે.
Advertisement
Ahmedabad RTO: અમદાવાદ (Ahmedabad) શહેરના વાહનચાલકો અને અરજદારો માટે એક મોટા અને રાહતના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ ખાતે રૂ. 62 કરોડના અધધ ખર્ચે તૈયાર થયેલી પ્રાદેશિક પરિવહન કચેરી (RTO Office) નું નવનિર્મિત ભવન હવે જનતા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. આ અદ્યતન કચેરીનું ભવ્ય ઉદ્ઘાટન ગુજરાતના ગૃહ અને પરિવહન રાજ્યમંત્રી હર્ષભાઇ સંઘવી (Harsh Sanghavi) ના હસ્તે કરવામાં આવ્યું હતું. નવી કચેરી શરૂ થતાં જ હવે અરજદારોને જૂની કચેરીના ધક્કા અને હાલાકીમાંથી કાયમી મુક્તિ મળશે.

