આ ઘટનાની જાણ થતાં જ પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફ્લો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો.
પાકિસ્તાની કિશોર 6 માસ પહેલાં પકડાયો હતો
રાજકોટના સંરક્ષણ ગૃહ (ઓબ્ઝર્વેશન હોમ)માંથી એકસાથે 11 જેટલા બાળ આરોપીઓ નાસી જવાના બનાવમાં પોલીસે ત્રણ બાળકોની અટકાયત કરી છે. જેમાં એક બાળ આરોપી પાકિસ્તાની છે. પોલીસે તપાસ કરતા અગાઉ પોરબંદર પાસેથી માછીમારી કરતા પાકિસ્તાની પકડાયા હતા જેમાં એક બાળ આરોપી હોવાથી તેને રાજકોટના બાળ સંરક્ષણ ગૃહમાં છ માસથી રાખવામાં આવ્યો હતો.
રેલવે સ્ટેશન, બસ સ્ટેશન અને હાઈ-વે ઉપર નાકાબંદી કરવામાં આવી
સીસીટીવીના કેમેરા અને ગીલ તોડી નાખી હોવાનું બહાર આવતા પોલીસે અલગ અલગ 13 ટીમો બનાવી રેલવે, બસ સ્ટેશન તેમજ હાઈ-વે ઉપર નાકાબંદી કરી ૫ બાળકોની અટકાયત કરી વધુ 6 બાળકોને પકડી લેવા દોડધામ કરી છે. આ ઘટનાને પગલે બાળ સંરક્ષણ ગૃહની સુરક્ષા સામે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે.
મદદગારી કરનાર કોઈને છોડવામાં નહીં આવે : કલેકટર
રાજકોટમાં બાળ સંરક્ષણ ગૃહમાં આશ્રય લઈ રહેલા 54 બાળ આરોપીઓમાંથી 11 બાળકો સવારે ફરાર થઈ થયા હતા. બે ગાર્ડ અને એક વોર્ડન હાજર હોવા છતા બાળકો નાસી છુટ્યા હોવાથી ઓબ્ઝર્વેશન હોમની સુરક્ષા સામે પણ સવાલો ઉઠતા તપાસના આદેશ કરવામાં આવ્યા છે. કલેકટર ઓમ પ્રકાશે જણાવ્યું હતું કે હાલ કોઈની બેદરકારી સામે આવી નથી પરંતુ આ બનાવમાં મદદગારી કરનાર કોઈને છોડવામાં નહી આવે.
આ પણ વાંચો : LIVE: Gujarat Latest News : ગુજરાત આસપાસ બે વરસાદી સિસ્ટમ સક્રિય, બફારાથી લોકો થયા ત્રસ્ત