Rajkot ફાયર વિભાગ સફાળું જાગ્યું, ફાયર સેફટીના અભાવના કારણે 48 હોટલને ફટકારી નોટિસ
Rajkot : દિલ્હી અગ્નિકાંડ બાદ રાજકોટ મહાનગર પાલિકા દ્વારા હોટલોમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. ફાયર વિભાગ દ્વારા 80 હોટલમાં ચેકિંગ હાથ ધર્યુ હતુ જેમાં 48 હોટલમાં નાની મોટી ત્રુટી જોવા મળી છે જેના કારણે 48 હોટલને રાજકોટ ફાયર વિભાગ દ્વારા નોટિસ આપવામાં આવી છે.
Advertisement
Rajkot : દિલ્હીની હોટલમાં આગની ઘટના બની હતી જેમાં 21 લોકોના મોત થયા હતા. આ ઘટના બાદ રાજકોટ શહેરમાં પણ ફાયર વિભાગ એલર્ટ મોડમાં આવી ગયું છે. રાજકોટમાં ફાયર વિભાગ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને શહેરમાં આવેલી હોટલ, રેસ્ટોરન્ટમાં ફાયર સેફટી મુદ્દે ચેકિંગની કાર્યવાહી શરુ કરવામાં આવી છે. આ કાર્યવાહી આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે તેવી વાત સામે આવી છે.

