Rajkot: ક્રાઈમ બ્રાંચની મોટી કાર્યવાહી, ફાયરિંગ કરી હત્યા નીપજાવનાર 3 ઝડપાયા
રાજકોટમાં ગઈકાલે રાત્રે સામાન્ય બોલાચાલીમાં થયેલી ફાયરિંગ અને હત્યાની ઘટનાએ ચકચાર જગાવી છે. રણજીત વાળા અને તેના પુત્રે આડેધડ ફાયરિંગ કરી કૃષ્ણસિંહ જાડેજાની હત્યા નિપજાવી હતી. પોલીસની ટીમ ગણતરીના કલાકોમાં જ સક્રિય થઈ અને સરધાર નજીકથી આરોપીઓને ઝડપી લીધા હતા.
Advertisement
Rajkot Firing Murder Case: રાજકોટમાં ગઈકાલ રાત્રે બનેલી ફાયરિંગ અને હત્યાની ઘટનાએ સમગ્ર શહેરમાં સનસનાટી મચાવી દીધી છે. આ મામલે ક્રાઈમ બ્રાન્ચની ટીમે ગણતરીના કલાકોમાં જ મુખ્ય આરોપી રણજીત વાળા અને તેના પુત્ર સહિત કુલ ૩ શખ્સોને સરધાર નજીકથી ઝડપી પાડ્યા છે. પોલીસની આ ત્વરિત કાર્યવાહીને કારણે આરોપીઓ ભાગી છૂટવામાં નિષ્ફળ રહ્યા હતા.

