કૃષ્ણદેવસિંહ વોકિંગ કરવા નિકળ્યા હતા ત્યારે ઘર પાસે પ્લોટમાં બેસેલા શખ્સો સાથે થઈ હતી બોલાચાલી અને બોલાચાલી બાદ રણજીત વાળા તેના પુત્ર સહિત 4 શખ્સો મૃતકના ઘરે આવી રિવોલ્વરથી ત્રણ હવામાં રાઉન્ડ ફાયરીંગ કર્યા હતા.
ઘરની બહાર નીકળતા જ કૃષ્ણદેવસિંહ જાડેજા પર ફાયરિંગ થયું
ફાયરિંગ બાદ વચ્ચે પડતા રહેન્દ્રસિંહ જાડેજા સાથે માથાકૂટ કરી રિવોલ્વર માથામાં મારી ઇજા કરી હતી. DCP, ACP સહિત ક્રાઇમ બ્રાન્ચની ટીમો પણ દોડી ગઈ છે. મૃતકના કૌટુંબિક ભાઈ ગોપાલસિંહ જાડેજા યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ડી-સ્ટાફમાં ફરજ બજાવે છે.
અને સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે. આ સામાન્ય માથાકૂટ બાદ ઉશ્કેરાયેલા શખ્સે ફોન કરીને પોતાના પિતાને હથિયાર સાથે ત્યાં બોલાવી લીધા હતા. રિવોલ્વર જેવા હથિયારમાંથી સીધું આવીને જ કુલ 4 રાઉન્ડ ફાયરિંગ કરી દીધું હતું. આ હુમલામાં કૃષ્ણદીપસિંહને ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું મોત નીપજ્યું છે.
આતંક મચાવી યુવાનને પતાવી દીધો
આ હુમલાને અંજામ આપીને ફરાર થઈ ગયેલા આરોપીઓની શોધખોળ કરવા માટે પોલીસે સીસીટીવી ફૂટેજ ચકાસવાની તેમજ લોકેશનના આધારે તપાસ કરવાની તજવીજ હાથ ધરી છે, જોકે પ્રાથમિક તપાસમાં હજી કોઈ આરોપીઓના ચોક્કસ નામ સામે આવ્યા નથી.
હત્યાની ઘટનામાં 7 થી 8 જેટલા શખ્સો સામેલ હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. જોકે ક્રાઈમ બ્રાન્ચ અને તાલુકા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી તપાસ કરી રહ્યો છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થયા છે, જેના આધારે તાલુકા પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમોએ આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. વિસ્તારમાં દહેશતનો માહોલ છે અને પોલીસ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી રહી છે.
આ પણ વાંચો : LIVE: Gujarat Latest News : ગુજરાત પર એક સાથે વરસાદની પાંચ હવામાન સિસ્ટમ સક્રિય થઈ