Rajkot: ભેળસેળિયા મસાલાનું મોટું કૌભાંડ, ગોંડલની ફેક્ટરીમાંથી 1.11 કરોડનો મુદ્દામાલ જપ્ત
રાજકોટના ગોંડલના જામવાડી ગામે ફૂડ વિભાગે દરોડા પાડીને લાયસન્સ વિના ચાલતી મસાલાની ફેક્ટરી સીલ કરી છે. તપાસમાં 35,000 કિલો મરચું, હળદર અને ધાણાજીરું મળી આવ્યા હતા, જેની કિંમત 1.11 કરોડ રૂપિયા છે. આ મસાલામાં હાનિકારક કલર ભેળવીને વેચાણ કરવામાં આવતું હતું. ફૂડ વિભાગની આ મોટી કાર્યવાહીથી ભેળસેળ કરનારા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
Advertisement
Rajkot Gondal Food Raid: રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના જામવાડી ગામે ફૂડ વિભાગ દ્વારા કરવામાં આવેલી એક મોટી કાર્યવાહીમાં ભેળસેળયુક્ત મસાલાનું મોટું કૌભાંડ બહાર આવ્યું છે. ફૂડ સેફ્ટી ઓફિસર અને તેમની ટીમ દ્વારા જામવાડી વિસ્તારમાં આવેલી એક ફેક્ટરી પર અચાનક દરોડા પાડવામાં આવ્યા હતા. આ ફેક્ટરી કોઈ પણ પ્રકારના લાયસન્સ કે સરકારી મંજૂરી વગર ધમધમી રહી હતી, જેની જાણકારી મળતા જ તંત્ર હરકતમાં આવ્યું હતું.

