Rajkot મનપાનો સપાટો, અખાદ્ય ખોરાક વેચતી 10 દુકાનો સીલ કરી 476 કિલો ખોરાકનો નાશ કરાયો
Rajkot મહાનગરપાલિકા (RMC) ના આરોગ્ય વિભાગ દ્વારા શહેરીજનોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા અસામાજિક તત્વો અને વેપારીઓ સામે લાલ આંખ કરવામાં આવી છે. મનપાની ફૂડ સેફ્ટી ટીમ દ્વારા છેલ્લા ચાર દિવસમાં શહેરભરમાં સઘન ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, જેના પરિણામે અખાદ્ય અને વાસી ખોરાક વેચતી નામાંકિત પેઢીઓ સામે કડક કાનૂની પગલાં લેવામાં આવ્યા છે.
Advertisement
Rajkot : છેલ્લા ચાર દિવસ દરમિયાન આરોગ્ય વિભાગ દ્વારા કુલ 64 જેટલી પેઢીઓની સઘન તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન ગંભીર બેદરકારી અને ભારે ગંદકી તેમજ આરોગ્ય માટે હાનિકારક પદાર્થો મળી આવતા 10 જેટલી પેઢીઓને તાત્કાલિક અસરથી સીલ કરી દેવામાં આવી છે.

