હિતેષ ભાયાણીએ એકલા જ ડિમોલિશનમાં 15 લાખ રૂપિયાની કમાણી કરી હોવાની આશંકા છે. વીડિયોગ્રાફી કોન્ટ્રાક લેનાર હિતેષ ભાયાણી રાતોરાત કમાઈ કરી લાખો રૂપિયાની.
કોન્ટ્રાકટરના કહેવા મુજબ 292 કેમેરામેન ઉપયોગ થયો
આ કમાણીમાંથી ક્યાં અધિકારી અને ક્યાં નેતા ને ટકાવારી આપવામાં આવી? અને ડિમોલિશન દરમિયાન કોન્ટ્રાકટરના કહેવા મુજબ 292 કેમેરામેન ઉપયોગ થયો હોવાની વાત સામે આવી છે. 292 કેમેરામેન 2000 રૂપિયા લેખે ગણી તો 586000 રૂપિયા જેવી રકમ ખર્ચ થયો.
બાકી કોન્ટ્રાક્ટ અને અધિકારીઓ પદાધિકારીઓ મળી ભાગ પાડ્યા કે શું ? રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જંગલેશ્વર વિસ્તારમાં ગેરકાયદેસર 1500 કાચા-પાકા દબાણો દૂર કરવામાં આવ્યા હતા. જોકે તેના માટે મનપાને અંદાજે 3 કરોડનો ખર્ચ થયો હોવાનું સામે આવ્યું છે. જેમાં ભોજન, નાસ્તા અને લીંબુ પાણીના 27.20 લાખ, પીવાના પાણીનું 23 લાખનું બિલ સામે આવ્યું છે.
જંગલેશ્વર ડિમોલીશન ખર્ચ વિવાદનો મામલો
વિવાદનો મધપૂડો છંછેડાતા મનપા કમિશર તુષાર સુમેરા રજા પર ઉતર્યા અને મીડિયાના સવાલોથી બચવા રજા પર ઉતર્યા હોવાની ઠેર ઠેર ચર્ચા ચાલી રહી છે.
પદાધિકારીઓ પર પ્રેસર ઊભું થતા આજે થશે મહત્વની જાહેરાત. આજે સંભવત મેયર નેહલ શુક્લ દ્વારા કરવામાં આવશે મહત્વની જાહેરાત અને જંગલેશ્વર ડિમોલિશન ખર્ચને લઈ બિલ બાબતે લેવામાં આવી શકે છે નિર્ણય. ડિમોલિશન ખર્ચ અંદાજીત 3 કરોડ આસપાસ પહોંચ્યો છે. મનપાના અધિકારીઓ પદાધિકારીઓ બિલની વિગતો જાહેર કરે છે કે કેમ તે સવાલ છે.
આ પણ વાંચો : LIVE: Ahmedabad Jagannath Jalyatra 2026 Live : અમદાવાદમાં ભગવાન જગન્નાથની વાજતે ગાજતે આજે મંદિરમાંથી જળયાત્રા નીકળશે