શુક્રવારે સાંજે જ્યારે મનપાની ટીમ દ્વારા દુકાનને સીલ મારવામાં આવ્યું હતું, ત્યારે શહેરવાસીઓને લાગ્યું હતું કે તંત્ર ગંભીર છે. પરંતુ, શનિવારે સવારના સમયે જ્યારે આ જ દુકાન ફરીથી ખુલ્લી જોવા મળી, ત્યારે સમગ્ર વિસ્તારમાં આશ્ચર્ય અને રોષની લાગણી ફેલાઈ ગઈ હતી.
રાજકોટ મનપાની કામગીરી પર સવાલ
સવાલ એ છે કે, જે સીલ મનપા દ્વારા મારવામાં આવ્યું હતું તે આટલી જલ્દી કોણે અને કેવી રીતે ખોલ્યું? શું વેપારીની હિંમત આટલી વધી ગઈ છે કે તે સરકારી નિયમોને પણ ઘોળીને પી જાય છે? કે પછી મનપાના સીલ મારવાની પ્રક્રિયામાં જ કોઈ ખામી હતી?
ફૂડ શાખાની વાત કરીએ તો, તેમણે શહેરની કુલ 66 પેઢીઓમાં ચેકિંગ હાથ ધરીને 218 કિલો અખાદ્ય જથ્થાનો નાશ કર્યો છે અને 16 ડેરીઓમાંથી નમૂના લીધા છે. મનપાની આ કામગીરી પ્રશંસનીય જરૂર છે, પરંતુ જો આવી રીતે સીલ માર્યા બાદ તરત જ દુકાનો ખુલી જાય, તો આ તપાસની વિશ્વસનીયતા પર પ્રશ્નો ઊભા થાય છે.
ફૂડ વિભાગના દરોડા બાદ ગંભીર બેદરકારી
આ ઘટનાએ વહીવટી તંત્રની કાર્યક્ષમતા અને ઈમાનદારી પર કાળા ડાઘ લગાવ્યા છે. જો નિયમોનું પાલન કરવામાં મનપાના અધિકારીઓ જ આટલા ઢીલા હશે, તો સ્વાભાવિક છે કે વેપારીઓનો ડર નીકળી જશે.
જામનગર કે અન્ય શહેરોની જેમ રાજકોટમાં પણ અધિકારીઓની આ પ્રકારની શંકાસ્પદ કામગીરી ચર્ચાનો વિષય બની છે. હવે જોવાનું એ રહેશે કે મનપા તંત્ર આ દુકાન ફરીથી ખુલી જવાના મામલે કોઈ કડક તપાસ કરે છે કે પછી આ મામલો પણ ફાઈલોમાં દબાઈ જશે. પ્રજા ઈચ્છે છે કે જવાબદારો સામે માત્ર દંડ નહીં, પણ કાયદેસરની કડક કાર્યવાહી થાય.
આ પણ વાંચો : Bhavnagar યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ વચ્ચેની બોલાચાલીએ લીધું હિંસક સ્વરૂપ, પાર્કિગ મામલે બોલાચાલી બાદ હુમલો કરાયો