આ બિલ પાસિંગના કારણે રાજકોટ મહાનગર પાલિકાની સ્ટેન્ડિંગ કમિટી શંકાના દાયરામાં આવી છે. મિનરલ વોટર સપ્લાય કરતી કંપની પાસેથી સીધું લેવાના બદલે કેમ મંડપ સર્વિસ પાસે મંગાવ્યું તેને લઈ રાજકોટ શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે.
પાણીને લઈ સામાજિક અગ્રણી પુરુષોત્તમ પીપળીયાનું નિવેદન
રાજકોટમાં જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલિશન દરમિયાન ખાણીપીણીમાં થયેલ બિલિંગ કૌભાંડને લઈ સામાજિક અગ્રણી પુરુષોત્તમ પીપળીયાનું નિવેદન સામે આવ્યું છે.
જેમાં તેમનું કહેવું છે કે, સમગ્ર ઘટનામાં તપાસ થવી જોઈએ અને જવાબદાર અધિકારી અને કર્મચારીઓ વિરુદ્ધ પગલાં લેવા જોઈએ તો પીપળીયાએ વધુમાં ડબલ બિલ બનાવનારને ગીધડ કહ્યાં છે. આવા સમયે કાજુકતરી અને ખજૂર રોલ મંગાવનાર કોણ ? તેને શોધવા અને તેનું નામ જાહેર કરવા પીપળીયાએ અપીલ કરી છે.
અધિકારીઓ ડિમોલિશનના સમયે મીજબાની માણી
7 લાખના બિલમાં ડિમોલિશનના સ્ટાફ માટે સમોસા, કાજુકતરી, ખજૂર રોલ, જલેબી, ગાંઠિયા, ભોજનની થાળી, લીંબુ શરબત અને છાશ વગેરેનો સમાવેશ કરાયો છે.
નવાઈની વાત એ છે કે આટ-આટલી વાનગીઓ આરોગ્યા પછી અધિકારીઓ પાણી પીવાનું ભૂલી ગયા હોય તેમ દરખાસ્તમાં 12 લાખના મિનરલ વોટરનું કોઈ બિલ જ સામેલ કર્યુ ન હતુ. કોંગ્રેસના કોર્પોરેટર મકબુલ દાઉદાણીએ આક્ષેપ કર્યો હતો કે, ગરીબોના મકાન તોડતી વખતે રાજકોટના ભ્રષ્ટ અધિકારીઓ ત્યાં પિકનિક મનાવવા ગયા હોય તેવું લાગી રહ્યું હતું.
આ પણ વાંચો : Surat : દોસ્ત-દોસ્ત ના રહા, પાંડેસરામાં સામાન્ય તકરારમાં મિત્રએ જ મિત્રની કરી હત્યા