રાપર લવ જેહાદની ઘટનાથી સંતોમાં ભારે આક્રોશ: એકલધામના મહંત યોગી દેવનાથ બાપુનું મોટું નિવેદન
Yogi Devnath Bapu Statement: રાપરમાં (Rapar) લવ જેહાદની (Love Jihad) ઘટનાને પગલે સંતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. એકલધામના મહંત યોગી દેવનાથ બાપુએ (Yogi Devnath Bapu) સગીરાના ધર્મ પરિવર્તન (Religion Conversion) મામલે ચિંતા વ્યક્ત કરી આ કેસની ઊંડાણપૂર્વક અને નિષ્પક્ષ તપાસની માંગ કરી છે તેમજ જવાબદારોને કાયદા મુજબ સખત સજા (Strict Punishment) કરવા જણાવ્યું છે.
Advertisement
Love Jihad Rapar: કચ્છના રાપર (Rapar) વિસ્તારમાં બનેલી કથિત લવ જેહાદ (Love Jihad) ની ઘટનાને પગલે સમગ્ર પંથક સહિત સાધુ-સંતોમાં ભારે રોષ અને આક્રોશ ફાટી નીકળ્યો છે. આ સંવેદનશીલ મામલે હવે આધ્યાત્મિક ક્ષેત્રના અગ્રણી અને એકલધામના (Ekaldham) પ્રખ્યાત મહંત યોગી દેવનાથ બાપુનું (Yogi Devnath Bapu) એક અત્યંત મહત્વનું અને આક્રમક નિવેદન સામે આવ્યું છે. તેમણે રાપરમાં બનેલી આ ઘટનાની આકરી શબ્દોમાં નિંદા કરી છે અને હિન્દુ સમાજ તેમજ સંતો વતી પોતાનો વિરોધ નોંધાવ્યો છે.

