Ship Accident: સલાયાનું જહાજ ઓમાનના દરિયામાં ડૂબ્યું, 2ના મોત અને 12નો સફળ બચાવ
ઓમાનના દરિયામાં સર્જાયેલી એક ગંભીર દુર્ઘટનામાં સલાયાના માલવાહક જહાજે જળસમાધિ લીધી છે. કુદરતના પ્રકોપ અને એન્જિનની ખામી વચ્ચે ફસાયેલા14 ખલાસીઓમાંથી 12ને બચાવી લેવાયા છે, પરંતુ બે પરિવારોએ પોતાના સ્વજન ગુમાવ્યા છે. દુબઈથી નીકળેલા આ જહાજનું સફર અધવચ્ચે કેમ અટકી ગયું અને કેવી રીતે ઓમાની નેવીએ કલાકો સુધી રેસ્ક્યૂ ઓપરેશન ચલાવ્યું?
Advertisement
Ship Accident: દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયાનું એક માલવાહક જહાજ ઓમાનના દરિયામાં ડૂબી જતાં ખળભળાટ મચી ગયો છે. સલાયાના 'મહેબૂબ-એ-બુખારી' નામના આ માલવાહક જહાજે ૩ જુલાઈના રોજ દુબઈથી માલસામાન ભરીને જિબૂતી જવા માટે પ્રયાણ કર્યું હતું. જોકે, દરિયાની અધવચ્ચે પહોંચતા જ કુદરતી આફત ત્રાટકી હતી.

