તો અધિકારીની બદલી આવી જાય અને બજારમાં ખોટી અફવા ફેલાય તેના કારણોસર કોઈ શખ્સ દ્વારા તેમની બદલી અમદાવાદ ખાતે કરવામાં આવી છે તેવું બદલીનું લિસ્ટ વાયરલ કરવામાં આવ્યું છે. આ મામલે હજી કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી પણ ખનીજ માફિયાઓએ બદલીનો ઓર્ડર વાયરલ કર્યાની શંકા સેવાઈ રહી છે.
SDM મકવાણાની કાર્યવાહીથી ખનીજ માફિયાઓ ત્રાહિમામ
સુરેન્દ્રનગરના ચોટીલામાં ખનીજ માફિયાઓને પરસેવો છોડાવી દેનાર સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ (SDM) હાલ સુરેન્દ્રનગર જિલ્લામાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે, વહીવટી કારણોસર તેમની બદલી કરવામાં આવી છે તેવો લેટર વાયરલ કરવામાં આવ્યો છે.
જેના કારણે લોકોમાં એવી ચર્ચા ચાલે છે કે અધિકારીની બદલી કરવામાં આવી છે, પરંતુ અધિકારી જે જગ્યાએ હાલમાં છે ત્યાં જ તેમની નોકરી છે અને તેમની કોઈ નોકરી કે બદલી કરવામાં આવી નથી, તો માફિયાઓએ નવા પેંતરા અજમાવી લોકોમાં ચર્ચાનો વિષય બનાવ્યો છે.
સુરેન્દ્રનગરમાં મોહર્રમના તહેવારને લઈને તાજિયાના રૂટ પર પ્રતિબંધ રહેશે
આગામી તા.26 અને 27 જૂન 2026ના રોજ મોહર્રમ-તાજીયાનો તહેવાર મનાવવામાં આવનાર છે. આ તહેવાર અંતર્ગત સુરેન્દ્રનગર શહેરના સીટી એ, સીટી બી તથા જોરાવરનગર પોલીસ સ્ટેશન વિસ્તારના કુલ 28 જેટલા તાજીયાઓનું ઝુલુસ ટાવર, ટાંકી ચોક, જવાહર ચોક, જેલચોક, કોર્ટ અને કલેકટર કચેરીથી ટાવર સુધીના રૂટ પર પરંપરાગત રીતે નિકળનાર છે.
આ પણ વાંચો : Junagadh lion News : જૂનાગઢ સિંહબાળ હત્યા ગેરકાયદે લાયન શો ના પાપનું કારણ છે?? બેબીસિયા રોગ પછી સરકારના વનવિભાગના માથે કાળી ટીલી !