માણસામાં આવેલ સાયન્સ કોલેજમાં યોગ દિવસની ઉજવણી કરાઈ હતી જેમાં ધારાસભ્યો અને સ્થાનિકો પણ હાજર રહ્યાં હતા. સ્વસ્થ જીવન માટે યોગ થીમ પર યોગ દિવસની ઉજવણી કરાઈ હતી. ગુજરાત યોગ બોર્ડના ચેરમેન શિશપાલ રાજપૂત પણ હાજર રહ્યાં અને માણસા ધારાસભ્ય જે.એસ.પટેલ પણ હાજર રહ્યાં હતા.
યોગ એક દિવસ માટે નહીં રોજિંદા જીવશૈલી બને તે જરૂરી છે : CM ભુપેન્દ્રભાઈ પટેલ
CM ભુપેન્દ્રભાઈ પટેલે આ પ્રસંગે સ્પીચ દરમિયાન કહ્યું કે, 12માં વિશ્વ યોગ દિવસની ઉજવણી દુનિયામાં થઈ રહી છે અને દરેક લોકો યોગમય બન્યા છે. વિશ્વ નેતા મોદી શાસનના 12 વર્ષ પૂર્ણ થયા છે અને યોગનો મુખ્ય આધાર પ્રાણ વાયુ છે.
શુધ્ધ હવા માટે એક પેડ માં કે નામ વાત કરી અને ઓક્સિજન વન તૈયાર કરવાનું આહવાન કર્યું હતું ભુપેન્દ્રભાઈ પટેલે. સોલર એનર્જીથી ગ્રીન એનર્જી આપી મિશન લાઈફની અભીગમ અપનાવીની વાત કરી હતી અને પીએમ નરેન્દ્રભાઈ મોદી જનહિત કામો આજ ખૂબ ઉપયોગી થયા.
આ વર્ષે યોગ ફોર હેલ્થી થીમ છે : CM ભુપેન્દ્રભાઈ પટેલ
CM ભુપેન્દ્રભાઈ પટેલે આ પ્રસંગે સ્પીચ દરમિયાન કહ્યું કે, આજ સમગ્ર રાજ્યમાં 330 થી વધુ જગ્યા પર 1.15 કરોડ લોકો જોડાયા છે. આજ અનેક લોકો ગંભીર રોગોથી પીડાઈ રહ્યાં છે.
યોગ એ આરોગ્ય માટે સર્વગ્રાહી અભિગમ છે. યોગ આયુષ્ય સુધીનું કવચ છે. દરેક સંકલ્પ પાર પાડવા લીડ લેતું રાજ્ય ગુજરાત છે. 1.50 લાખ યોગ ટ્રેનર તૈયાર કરવામાં આવ્યા છે અને દેશમાં સૌથી વધુ યોગ ટ્રેનર ગુજરાતમાં છે. 5000થી વધુ નિશુલ્ક યોગ ક્લાસ થી 8 લાખ લોકો યોગ સાથે જોડાયા છે.
આ પણ વાંચો : LIVE: Gujarat Latest News : આજે સમગ્ર વિશ્વમાં ઉજવાશે યોગ દિવસ, યોગ એ ભારતની પ્રાચીન પરંપરાની એક અમૂલ્ય ભેટ