ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Atal Pension Yojana : નિવૃત્તિ બાદ ₹5,000નું પેન્શન કેવી રીતે મેળવશો? કરો આ યોજનામાં રોકાણ

Atal Pension Yojana : 18 થી 40 વર્ષના ભારતીયો માટે સરકારી પેન્શન યોજના. જાણો કઈ રીતે જોડાવું, કેટલું યોગદાન આપવું અને શું છે ફાયદા.
10:33 AM Aug 14, 2025 IST | Mihir Solanki
Atal Pension Yojana : 18 થી 40 વર્ષના ભારતીયો માટે સરકારી પેન્શન યોજના. જાણો કઈ રીતે જોડાવું, કેટલું યોગદાન આપવું અને શું છે ફાયદા.
Atal Pension Yojana

Atal Pension Yojana : ભારતમાં મોટી સંખ્યામાં એવા લોકો છે, જેઓ વૃદ્ધાવસ્થામાં નિયમિત આવકની ચિંતા કરે છે, ખાસ કરીને જેઓ કોઈ સંગઠિત નોકરી કરતા નથી અથવા જેમની પાસે નિવૃત્તિ બાદ પેન્શનની સુવિધા નથી. આવા લોકોની આર્થિક સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ભારત સરકારે એક મહત્ત્વની યોજના શરૂ કરી છે, જેનું નામ અટલ પેન્શન યોજના (Atal Pension Yojana) છે.

આ યોજનાનો મુખ્ય હેતુ અસંગઠિત ક્ષેત્રના કર્મચારીઓને 60 વર્ષની ઉંમર બાદ દર મહિને નિશ્ચિત પેન્શનની ગેરંટી આપવાનો છે. આ યોજના હેઠળ રૂ.1,000 થી લઈને રૂ.5,000 સુધીની માસિક પેન્શનની સુવિધા ઉપલબ્ધ છે, જે આજીવન મળે છે.

Atal Pension Yojana યોજનાની મુખ્ય વિશેષતા

કોણ જોડાઈ શકે?: 18 થી 40 વર્ષની વયજૂથના કોઈપણ ભારતીય નાગરિક આ યોજનાનો લાભ લઈ શકે છે.

ખાતું: યોજનામાં જોડાવા માટે બેન્ક કે પોસ્ટ ઓફિસમાં બચત ખાતું હોવું ફરજિયાત છે.

નિયમ: 1 ઓક્ટોબર, 2022 પછી, જે વ્યક્તિઓ આવકવેરા ભરતા હોય તેઓ આ યોજનામાં જોડાઈ શકતા નથી.

Atal Pension Yojanaની રકમ

  1. આ યોજનામાં પાંચ જુદી જુદી પેન્શન સ્લેબ (રૂ.1,000, રૂ.2,000, રૂ.3,000, રૂ.4,000 અને રૂ.5,000) ઉપલબ્ધ છે. પેન્શનની રકમ એ વાત પર આધાર રાખે છે કે તમે કઈ ઉંમરે યોજનામાં જોડાઓ છો અને કેટલું માસિક યોગદાન આપો છો.
  2. રૂ.5,000નું પેન્શન: જો કોઈ વ્યક્તિ 18 વર્ષની ઉંમરે જોડાય, તો તેણે દર મહિને રૂ.210નું યોગદાન આપવું પડે છે. 40 વર્ષની ઉંમરે જોડાનાર માટે આ રકમ રૂ.1,454 પ્રતિ માસ હોય છે.
  3. રૂ.1,000નું પેન્શન: 18 વર્ષની ઉંમરે જોડાનાર માટે માસિક યોગદાન માત્ર રૂ.42 હોય છે, જ્યારે 40 વર્ષની ઉંમરે જોડાનાર માટે તે રૂ.291 હોય છે.
  4. યોગદાનનો સમયગાળો: આ યોગદાન 60 વર્ષની ઉંમર સુધી નિયમિતપણે જમા કરાવવાનું રહે છે. જો કોઈ કારણસર હપ્તો ચૂકવવામાં મોડું થાય, તો નજીવો દંડ પણ લાગી શકે છે.

APY scheme details

Atal Pension Yojana પરિવાર માટે સુરક્ષા

આ યોજનાનો સૌથી મોટો ફાયદો એ છે કે તે માત્ર વ્યક્તિને જ નહીં, પણ તેના પરિવારને પણ આર્થિક સુરક્ષા આપે છે.

  1. લાભાર્થીનું મૃત્યુ: જો 60 વર્ષ પછી પેન્શનરનું મૃત્યુ થાય, તો તેના પતિ/પત્નીને આજીવન તે જ પેન્શન મળતું રહે છે.
  2. બંનેનું મૃત્યુ: જો પતિ અને પત્ની બંનેનું મૃત્યુ થાય, તો નોમિનીને એકસાથે જમા થયેલી કુલ રકમ પરત કરવામાં આવે છે.

 કેવી રીતે અરજી કરશો?

અરજી કરવા માટે તમે નજીકની બેન્ક કે પોસ્ટ ઓફિસની મુલાકાત લઈ શકો છો. ઓનલાઈન પણ અરજી કરી શકાય છે, જેમાં આધાર અને બેન્ક ખાતાની વિગતો આપવી જરૂરી છે. અરજી બાદ PRAN (Permanent Retirement Account Number) જારી થાય છે અને યોગદાન સીધું તમારા ખાતામાંથી ઓટો-ડેબિટ થઈ જાય છે.

આ યોજના સમાજના એવા વર્ગ માટે એક વરદાન સમાન છે, જેમને નિવૃત્તિ પછી કોઈ આર્થિક આધાર નથી.

આ પણ વાંચો: 8th Pay Commission : 1થી 10 લેવલના અધિકારીઓમાં કોનો કેટલો વધશે પગાર? જાણો સમગ્ર વિગત

Tags :
APY scheme detailsAtal Pension YojanaFinancial newsgovernment pension scheme Indiahow to apply for APYIndiaPension Fundretirement plan
Next Article