Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Axis Bank માં 3 હજાર નોકરીઓ પર ફરી કાતર, જાણો આવું કેમ બન્યું !

Axis Bank દ્વારા 3 હજાર કર્મચારીઓને છુટા કરાતા ચર્ચા જાગી છે, બેંકે જણાવ્યું હતું કે, આ ઘટાડો મુખ્યત્વે ટેકનોલોજીમાં સતત રોકાણ (Investment In Technology) અને ઓટોમેશનમાં (Automation) વધારો થવાને કારણે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં, ડિજિટલ સિસ્ટમોને મજબૂત બનાવવામાં આવી છે, જેના કારણે કામ ઓછા સમયમાં અને ઓછા કર્મચારીઓ સાથે પૂર્ણ થઈ શકે છે.
axis bank માં 3 હજાર નોકરીઓ પર ફરી કાતર  જાણો આવું કેમ બન્યું
Advertisement
  • Axis Bank દ્વારા 3 હજાર કર્મચારીઓને છુટા કરાતા ચર્ચા જાગી
  • ટેક્નોલોજીના કારણે કામગીરી સરળ બનતા નિર્ણય લેવાયો
  • છટણી વચ્ચે બેંક દ્વારા સેંકડો નવી શાખાઓ ખોલવામાં આવી હોવાનો દાવો

Axis Bank : એક્સિસ બેંકે નોંધપાત્ર સંખ્યામાં કર્મચારીઓની છટણી કરી છે, જેમાં આશરે 3,000 કર્મચારીઓનો સમાવેશ થાય છે (Bank Job Cut). બેંકના જણાવ્યા અનુસાર, નાણાકીય વર્ષ 2025-26 ના અંત સુધીમાં કર્મચારીઓની સંખ્યા ઘટીને આશરે 1,01,000 થઈ જશે, જે અગાઉ 1,04,000 હતી. આ ઘટાડો ફક્ત એક જ વિભાગ પૂરતો મર્યાદિત નથી, પરંતુ સમગ્ર સંસ્થામાં વિવિધ સ્તરે થયો છે, જેના પરિણામે કુલ કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો થયો છે.

Axis Bank, કાર્યક્ષમતા અને ઉત્પાદકતામાં વધારો

બેંકે જણાવ્યું હતું કે, આ ઘટાડો મુખ્યત્વે ટેકનોલોજીમાં સતત રોકાણ (Investment In Technology) અને ઓટોમેશનમાં (Automation) વધારો થવાને કારણે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં, ડિજિટલ સિસ્ટમોને મજબૂત બનાવવામાં આવી છે, જેના કારણે કામ ઓછા સમયમાં અને ઓછા કર્મચારીઓ સાથે પૂર્ણ થઈ શકે છે. આનાથી કાર્યકારી કાર્યક્ષમતા અને ઉત્પાદકતામાં વધારો થયો છે. બેંક જણાવે છે કે, આ ફેરફાર તેની લાંબા ગાળાની ડિજિટલ વ્યૂહરચનાનો (Long Term - Digital Strategy) એક ભાગ છે, જે ધીમે ધીમે તેની કાર્ય કરવાની રીતમાં પરિવર્તન લાવી રહી છે.

Advertisement

Advertisement

આ પણ વાંચો - Gold Rate Today :શું સોનું 1.70 લાખે પહોંચશે? જાણો આજના લેટેસ્ટ ભાવ અને એક્સપર્ટની આગાહી

Axis Bank, કર્મચારીઓની ભરતી-તાલીમ જારી

એક્સિસ બેંકે સ્પષ્ટતા કરી કે આ છટણીઓ ફક્ત એક જ વિભાગ સુધી મર્યાદિત નથી, પરંતુ તમામ સ્તરે થઈ રહી છે. આ હોવા છતાં, બેંકે દેશભરમાં લગભગ 400 નવી શાખાઓ ખોલી છે, કર્મચારીઓની ભરતી અને તાલીમ આપી રહી છે. બેંકનું ધ્યાન ડિજિટલ સિસ્ટમ્સ અને ભૌતિક શાખાઓ બંનેને એકીકૃત કરવા પર છે જેથી ગ્રાહક સેવા સારી રહે અને બેંકની પહોંચ સતત વધી શકે.

AI ની સીધી અસર નહીં

નાણાકીય રીતે, બેંકનું પ્રદર્શન પ્રમાણમાં સ્થિર રહ્યું છે. માર્ચ ક્વાર્ટરમાં નફો લગભગ રૂ. 7,071 કરોડ રહ્યો, જે ગયા વર્ષ કરતા થોડો ઓછો છે. બેંકે પ્રતિ શેર 1 રૂપિયાના ડિવિડન્ડની પણ જાહેરાત કરી છે. બેંકે એમ પણ જણાવ્યું હતું કે, કર્મચારીઓની સંખ્યા ઘટાડવા પર AI ની સીધી અસર હજુ સુધી થઈ રહી નથી. હાલમાં, AI નો ઉપયોગ ફક્ત કામ ઝડપી અને સરળ બનાવવા માટે થઈ રહ્યો છે.

આ પણ વાંચો - Indigo Controversy : સિંદૂર-મંગલસુત્ર પર મનાઇ, હિજાબને મંજૂરીનો દાવો સામે આવ્યો

Tags :
Advertisement

.

×