Bhupesh Chandra N.Patel: સફળતાનું શિખર, ભૂપેશચંદ્ર એન. પટેલના સંઘર્ષથી સિદ્ધિ સુધીની ગૌરવશાળી સફર
- Bhupesh Chandra N.Patel: સંઘર્ષ વગર સફળતા નહીં
- ભૂપેશચંદ્રની સંઘર્ષમય શરૂઆત અને પારિવારિક વારસો
- કેન્યામાં પ્રખ્યાત 'બૂટ્સ લિમિટેડ'માં ડિરેક્ટર તરીકે સેવા આપી
- 1981માં બાળકોના ઉચ્ચ શિક્ષણ અને સારી તકો માટે અમેરિકા સ્થાયી થયા
- B.N. Patel & Associates: હોસ્પિટાલિટી ફાઇનાન્સિંગ ક્ષેત્રે અગ્રણી સંસ્થા
Bhupesh Chandra N.Patel: ગુજરાતી (Gujarati) એવા બી.એન.પટેલે પોતાની કાર્યક્ષમતાથી દેશ-વિદેશમાં ડંકો વગાડ્યો છે. ભૂપેશચંદ્ર પટેલની વાત કરીએ તો તેઓ મૂળ તરોતરના એટલે કે પીપલાવ ગામના છે. બી.એન. પટેલનો જન્મ 7 માર્ચ, 1937ના રોજ નેરોબી (કેન્યા) (Nairobi (Kenya))માં થયો હતો. તેમના પિતા નરોત્તમભાઈ (Narottambhai) અને દાદા બાબેરભાઈ (Baberbhai) એ આફ્રિકા (Africa) માં અનેક સંઘર્ષો વેઠીને પરિવારનો પાયો મજબૂત કર્યો હતો. ભૂપેશચંદ્ર એ તેમનું પ્રારંભિક શિક્ષણ (Early education) ભારતમાં મેળવ્યું હતું, જ્યાં તેઓ શિક્ષણ માટે દરરોજ માઈલો સુધી ચાલીને જતા હતા. આ કપરા સમયગાળાએ જ તેમનામાં દ્રઢ સંકલ્પ અને મહેનત જેવા ગુણોનું સિંચન કર્યું.
Bhupesh Chandra N.Patel: શૈક્ષણિક અને વ્યવસાયિક વિગતો
શિક્ષણ પ્રત્યેની ધગશ તેમના પુષ્કળ હતી. તેઓ ભણવા માટે પીપલાવથી આણંદ સુધી દરરોજ 16 માઈલ ચાલીને જતા હતા. તેમનો ઉદ્દેશ્ય હંમેશા ઉચ્ચ જ્ઞાન (Higher knowledge) મેળવવાનો હતો, જેણે તેમને જીવનના સંઘર્ષો સામે લડવાની શક્તિ આપી.
Bhupesh Chandra N.Patel: વ્યાવસાયિક સફળતા
તેમની કારકિર્દી (Career) ની શરૂઆત કેન્યામાં બૂટ્સ લિમિટેડ (Boots Ltd.) જેવી આંતરરાષ્ટ્રીય (International) કંપની સાથે થઈ હતી. ત્યારબાદ, તેમણે પોતાનો સ્વતંત્ર વ્યવસાય શરૂ કર્યો. વર્ષ 1981માં તેઓ વધુ સારી તકોની શોધમાં અમેરિકા સ્થાયી થયા.
કેન્યામાં કારકિર્દી
અમેરિકા જતા પહેલા, તેમણે કેન્યામાં 'બૂટ્સ લિમિટેડ' (Boots Ltd.) માં એક દાયકા સુધી કામ કર્યું. અને ત્યારબાદ પોતાની ફાર્માસ્યુટિકલ વિતરણ કંપની (Pharmaceutical distribution company) શરૂ કરી હતી.
Bhupesh Chandra N.Patel: વ્યવસાયિક વિસ્તાર
અમેરિકામાં તેમણે માત્ર હોસ્પિટાલિટી (Hospitality) જ નહીં, પરંતુ કેબલ ટીવી નેટવર્ક અને કેમિકલ વિતરણ (Amyl Incorporated) જેવા વૈવિધ્યસભર ક્ષેત્રોમાં સફળતા મેળવી છે.
આ પણ વાંચો-- Bhikhubhai Ukabhai Patel: સિંગોડના ખેતરથી અમેરિકાના હોસ્પિટાલિટી કિંગ સુધી, ભીખુભાઈ પટેલની ‘ઝીરો ટુ હીરો’ સફર
Bhupesh Chandra N.Patel: સમાજ સેવા અને સંસ્થાકીય પ્રદાન
તેઓ હ્યુસ્ટન (USA) માં BAPS સ્વામિનારાયણ મંદિર (Swaminarayan Temple) ના નિર્માણ અને તેની સેવા પ્રવૃત્તિઓમાં પાયાના પથ્થર સમાન રહ્યા છે. પરમ પૂજ્ય પ્રમુખસ્વામી (Pramukh Swami) મહારાજના તેઓ અત્યંત નિકટવર્તી અને આજ્ઞાંકિત સેવક રહ્યા છે.
ધાર્મિક અને સામાજિક મૂલ્યો
વ્યવસાયની સાથે ભૂપેશચંદ્ર આધ્યાત્મિક રીતે BAPS સ્વામિનારાયણ સંસ્થા સાથે ઊંડાણપૂર્વક જોડાયેલા છે. તેઓ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ અને વર્તમાન મહંત સ્વામી (Mahant Swami) મહારાજના ચિંધ્યા માર્ગે ચાલીને હ્યુસ્ટન અને આંતરરાષ્ટ્રીય સ્તરે માનવતાવાદી સેવાઓમાં કાર્યરત છે. 'BAPS Care International' ના વડા તરીકે પણ તેમણે નોંધપાત્ર સેવાઓ આપી છે.
'BAPS Care International' ના ચેરમેન (Chairman) તરીકે તેમણે કુદરતી આફતો સમયે અને ગરીબોની સહાય માટે અનેક સેવાકીય પ્રોજેક્ટ્સ (Service projects) નું નેતૃત્વ કર્યું છે.
મુખ્ય વ્યવસાય
હાલમાં તેઓ 'B.N. Patel & Associates' ના સીઈઓ (CEO) તરીકે કાર્યરત છે.
Bhupesh Chandra N.Patel: આદર્શ પરિવાર
તેમના ધર્મપત્ની વિરબાળાબેન (Virbalaben) માત્ર ગૃહિણી જ નહીં, પરંતુ ભૂપેશચંદ્ર ના સંઘર્ષના દિવસોમાં અમેરિકામાં વ્યવસાયિક નિર્ણયોમાં સક્રિય સહભાગી રહ્યા છે.
તેમના પત્ની વિરબાળાબેન તેમના દરેક કાર્યમાં મજબૂત ટેકો રહ્યા છે. તેમનો પુત્ર જલ્પેશ પટેલ 'Amyl Inc' સંભાળે છે, જ્યારે પુત્રી હિતેશ્રી લે હ્યુસ્ટનની હોસ્પિટલોમાં ઉચ્ચ હોદ્દા પર કાર્યરત હોવાની સાથે સામાજિક કાર્યોમાં પણ સક્રિય છે. તેમના પૌત્રો અનિશ અને અનુજ પણ ઉચ્ચ શિક્ષણ મેળવી વ્યવસાયિક ક્ષેત્રે આગળ વધી રહ્યા છે.
કુટુંબની પ્રગતિ
તેમનો પુત્ર જલ્પેશ પટેલ અને પુત્રી હિતેશ્રી બંને અમેરિકામાં ઉચ્ચ સ્થાને છે. તેમની આગામી પેઢી (પૌત્રો) પણ ડેટા સાયન્સ અને બિઝનેસ જેવા ક્ષેત્રોમાં અભ્યાસ કરી રહી છે, જે શ્રી પટેલના શિક્ષણ પ્રત્યેના આગ્રહનું પરિણામ છે.
આ વિગતો પરથી સ્પષ્ટ થાય છે કે ભૂપેશચંદ્ર પટેલ માત્ર એક સફળ બિઝનેસમેન જ નહીં, પરંતુ એક સાચા સમાજસેવક અને સંસ્કાર પુરુષ પણ છે.
નિપુણતા
તેઓ હોસ્પિટાલિટી ફાઇનાન્સિંગ (Hospitality Financing) અને રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ (Real estate development ક્ષેત્રે 'લીડર્સ' ગણાય છે.
તેમણે કેબલ કંપની, પેટ્રોકેમિકલ વિતરણ (Amyl Incorporated) અને ફાર્માસ્યુટિકલ ક્ષેત્રે પણ નોંધપાત્ર સફળતા હાંસલ કરી છે.
"તમારા મૂળિયાં (Heritage) ને ક્યારેય ભૂલશો નહીં" આ તેમનો મૂળ જીવનમંત્ર છે. ભૂપેશચંદ્ર માને છે કે જો વ્યક્તિ પોતાની સંસ્કૃતિ સાથે જોડાયેલી રહે, તો તે ગમે તેટલી ઊંચાઈએ પહોંચી શકે છે.
યુવા પેઢીને સંદેશ
બી.એન. પટેલના મતે સફળતાના પાંચ મુખ્ય સ્તંભ
નૈતિક (Moral), સામાજિક (Societal), વિદ્વાન (Learned), આત્મવિશ્વાસુ (Confident), અને પુરુષાર્થી (Go-getter).
આ પણ વાંચો-- Bhimji Depar Shah & Sons: ભારતથી કેન્યા સુધીનો પ્રેરણાદાયી સફર, ભીમજી દેપાર શાહ, સંઘર્ષ, સંકલ્પ અને સફળતાની કહાની


