ITR નહીં ફાઈલ કરનારા લોકોને મોટી રાહત, આ તારીખ સુધી લંબાવાઈ ડેડલાઈન
- ITR ફાઈલ કરનારા લોકોને મોટી રાહત
- અંતિમ તારીખ 15 જાન્યુઆરી સુધી લંબાવી
- બોમ્બે હાઈકોર્ટે આદેશ આપ્યો હતો
ITR Deadline: જે લોકો ITR ફાઈલ કરી શક્યા નથી તેમના માટે સારા સમાચાર છે. વિલંબિત ITR ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર હતી, જેમાં 5,000 રૂપિયાનો દંડ હતો. જો આવા લોકો 31મી ડિસેમ્બરની સમયમર્યાદા ચૂકી ગયા હોત તો તેઓ આવકવેરામાં છૂટની તમામ સુવિધાઓથી વંચિત રહી ગયા હોત. આ સિવાય તેમને ભારે આવકવેરો પણ ભરવો પડતો હતો. પણ હવે ચિંતા કરવાની કોઈ વાત નથી.
15 જાન્યુઆરી સુધી લંબાવી
આવા લોકોની સમસ્યાઓને ધ્યાનમાં રાખીને, આવકવેરા વિભાગે વિલંબિત ITR ફાઇલ કરવાની અંતિમ તારીખ 15 જાન્યુઆરી સુધી લંબાવી છે. આ છૂટ ફક્ત વ્યક્તિગત કરદાતાઓ માટે છે. જેમણે પહેલાથી જ સમયમર્યાદામાં આવકવેરા રિટર્ન ફાઈલ કર્યું છે તેઓ જરૂર પડ્યે સુધારેલ ITR પણ ફાઈલ કરી શકે છે.
કરદાતાઓને જાણ કરવામાં આવી છે, ITR રિવાઇઝ કરો
આવકવેરા વિભાગે ઘણા કરદાતાઓને આ માહિતી પણ મોકલી છે કે તેમનો ITR વાર્ષિક ટ્રાન્ઝેક્શન સાથે મેળ ખાતો નથી. તેથી, તેઓએ તેમના ITRમાં સુધારા કરવા જોઈએ. આવા લોકો માટે આ એક મોટી તક છે. વિલંબિત ITR ફાઇલ કરવાની તારીખ આવા લોકો માટે એક શ્રેષ્ઠ તક છે. તેઓ તેમના ITR તપાસી શકે છે અને તેમાં સુધારા કરી શકે છે.
આ પણ વાંચો -Share:આ શેરે 2 વર્ષમાં 482 ટકાનું બમ્પર રિટર્ન આપ્યું
રિટર્ન ફાઇલ કરીને તેને સુધારી શકો છો
જો કોઈ વ્યવહાર છોડી દેવામાં આવ્યો હોય અથવા તેના વિશે ખોટી જાણ કરવામાં આવી હોય, તો તમે વિલંબિત આવકવેરા રિટર્ન ફાઇલ કરીને તેને સુધારી શકો છો. એ નોંધવું જોઇએ કે વ્યક્તિઓ માટે ITR ફાઇલ કરવાની મૂળ સમયમર્યાદા માત્ર 21 જુલાઈ સુધી હતી. પેનલ્ટી સાથે ITR ફાઇલ કરવાની તારીખ 31 ડિસેમ્બર હતી. હવે તેને વધારીને 15 જાન્યુઆરી કરવામાં આવી છે.
આ પણ વાંચો -Share Market Closing: શેરબજારને મિશ્ર પ્રતિસાદ, સેન્સેક્સ 109 પોઈન્ટ તૂટયો
બોમ્બે હાઈકોર્ટે આદેશ આપ્યો હતો
સીબીડીટી દ્વારા જારી કરાયેલા પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે વિલંબિત આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની અંતિમ તારીખ 31 ડિસેમ્બરથી વધારીને 15 જાન્યુઆરી કરવામાં આવી છે. બોમ્બે હાઈકોર્ટે 20 ડિસેમ્બરે સીબીડીટીને વિલંબિત આવકવેરા રિટર્ન ભરવાની તારીખ 31 ડિસેમ્બરથી આગળ વધારવાનો આદેશ પણ આપ્યો હતો.