Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

GOOD NEWS : મોંઘવારીને લઈને સામાન્ય લોકોને મળશે રાહત, જાણો સમગ્ર અહેવાલ

મોંઘવારીના મોરચે સામાન્ય લોકોને મોટી રાહત દેશના જથ્થાબંધ ફુગાવામાં મોટો ઘટાડો થયો માર્ચમાં વાર્ષિક ધોરણે 2.05 ટકા થયો WPI Inflation: મોંઘવારીના મોરચે સામાન્ય લોકોને મોટી (WPI Inflation)રાહત મળી છે. સરકારી આંકડા અનુસાર, દેશના જથ્થાબંધ ફુગાવામાં મોટો ઘટાડો થયો છે.મંગળવારે...
good news   મોંઘવારીને લઈને સામાન્ય લોકોને મળશે રાહત  જાણો સમગ્ર અહેવાલ
Advertisement
  • મોંઘવારીના મોરચે સામાન્ય લોકોને મોટી રાહત
  • દેશના જથ્થાબંધ ફુગાવામાં મોટો ઘટાડો થયો
  • માર્ચમાં વાર્ષિક ધોરણે 2.05 ટકા થયો

WPI Inflation: મોંઘવારીના મોરચે સામાન્ય લોકોને મોટી (WPI Inflation)રાહત મળી છે. સરકારી આંકડા અનુસાર, દેશના જથ્થાબંધ ફુગાવામાં મોટો ઘટાડો થયો છે.મંગળવારે જાહેર કરાયેલા સરકારી આંકડા મુજબ, ભારતનો જથ્થાબંધ ફુગાવો (indian economy)જાન્યુઆરીમાં 2.38 ટકાથી ઘટીને માર્ચમાં વાર્ષિક ધોરણે 2.05 ટકા થયો છે.જ્યારે જાન્યુઆરીમાં તે 2.38 ટકા હતો. જ્યારે નિષ્ણાતોએ જથ્થાબંધ ફુગાવાનો દર 2.5 ટકા રહેવાનો અંદાજ મૂક્યો હતો. સરકારના મતે, માર્ચ, 2025 માં ફુગાવામાં ઘટાડો થવાનું મુખ્ય કારણ ખાદ્ય ઉત્પાદનોના ઉત્પાદન, અન્ય ઉત્પાદન,ખાદ્ય ઉત્પાદનો,વીજળી અને કાપડ વગેરેના ઉત્પાદનના ભાવમાં વધારો છે. ગયા મહિને જથ્થાબંધ ખાદ્ય ફુગાવો ફેબ્રુઆરીમાં 5.94 ટકાથી ઘટીને 4.66 ટકા થયો હતો. માર્ચમાં પ્રાથમિક ચીજવસ્તુઓમાં ફુગાવો ઘટીને 0.76 ટકા થયો જે ફેબ્રુઆરીમાં 2.81 ટકા હતો.

ગરમીથી મોંઘવારી અંગે ચિંતા વધી

દરમિયાન, ભારતીય હવામાન વિભાગ દ્વારા દેશભરમાં ગરમી અંગે આપવામાં આવેલી ચેતવણીઓએ ફુગાવા અંગે ચિંતા વધારી છે. રાહુલ બાજોરિયા, BofA ગ્લોબલ રિસર્ચ ખાતે ભારત અને ASEAN આર્થિક સંશોધનના વડા રાહુલ બાજોરિયાએ જણાવ્યું હતું કે ઉનાળામાં તાપમાન વધવાની સાથે શાકભાજી અને ફળોના ભાવ ઋતુ પ્રમાણે વધવાની ધારણા છે. ફેબ્રુઆરીની શરૂઆતમાં, છૂટક ફુગાવો ઘટીને સાત મહિનાના નીચલા સ્તરે 3.61% થયો હતો. જે જાન્યુઆરીમાં 4.31 ટકા હતો. સરકાર આજે એટલે કે મંગળવારે સાંજે માર્ચ મહિનાના છૂટક ફુગાવાના આંકડા જાહેર કરવા જઈ રહી છે. #Ilaiyaraaja

Advertisement

Advertisement

આ પણ  વાંચો -દૂધ-દહીં કરતાં પણ સસ્તું થયું Crude oil,પણ પેટ્રોલનાં ભાવ ક્યારે ઘટશે?

ફુગાવા અંગે RBIનો અંદાજ શું છે?

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ની નાણાકીય નીતિ સમિતિ (MPC) એ આ મહિનાની શરૂઆતમાં જણાવ્યું હતું કે ખાદ્યપદાર્થોના ભાવમાં ઘટાડાને કારણે ફુગાવો ઓછો થયો છે અને નાણાકીય વર્ષ 26 માં તે વધુ ઘટવાની અપેક્ષા છે, જેનાથી ભારતીય પરિવારોને વધુ રાહત મળશે. RBIના MPCએ નાણાકીય વર્ષ 2025-26 માટે ફુગાવાનો દર 4 ટકા રહેવાનો અંદાજ લગાવ્યો છે, જ્યારે ફેબ્રુઆરીની બેઠકમાં 4.2 ટકાનો અંદાજ લગાવવામાં આવ્યો હતો. નાણાકીય વર્ષ 26 ના ચાર ત્રિમાસિક ગાળા માટે, RBI MPC એ Q1 માં ફુગાવાનો દર 3.6 ટકા, Q2 માં 3.9 ટકા, Q3 માં 3.8 ટકા અને Q4 માં 4.4 ટકા રહેવાનો અંદાજ મૂક્યો છે.

Tags :
Advertisement

.

×