India economy: Oil, યુદ્ધ, ઘટતા ગ્રોથને કારણે અર્થતંત્ર પર ગ્રહણની શક્યતા, RBI લેશે મોટો નિર્ણય?
. ભારતનો જીડીપી ગ્રોથ 7% થી ઘટીને 5.9% સુધી જવાની આશંકા છે, જે અર્થતંત્રની રફ્તાર ધીમી પાડશે
. ભારત 85% તેલ આયાત કરતું હોવાથી મોંઘા ક્રૂડની સીધી અસર ખાધ અને સામાન્ય જનતાના ખિસ્સા પર પડશે
. રૂપિયાના મૂલ્યને બચાવવા માટે આરબીઆઈ વ્યાજદરોમાં અચાનક વધારો કરી શકે છે, જેનાથી લોન મોંઘી થશે
India economy: ભારત (India) નું અર્થતંત્ર (Economy) હાલ એવા ત્રિભેટે આવીને ઉભું છે કે જ્યાં દરેક દિશામાંથી દબાણ વધતું દેખાઈ રહ્યું છે. એક તરફ પશ્ચિમ એશિયા (West Asia) માં ઈઝરાયલ-અમેરિકા (Israel - US) અને ઈરાન (Iran) વચ્ચેનું યુદ્ધ તેની અસરો પ્રસારી રહ્યું છે, બીજી તરફ ખનીજતેલ (Crude Oil) ના વધતા ભાવ, અને ત્રીજું ધીમો પડી રહેલો ગ્રોથ રેટ (Growth Rate) ચિંતાના મોટા કારણો છે.
તેવામાં જાણકારો સંકેત આપી રહ્યા છે કે મોંઘુ ક્રૂડ ઓઈલ (Crude Oil) , નબળો રુપિયો (rupee) અને વૈશ્વિક અનિશ્ચિતતાઓ આગામી સમયમાં ઈકોનોમી અને નીતિગત નિર્ણયો બંનેને પ્રભાવિત કરી શકે છે. હવે મોટો સવાલ એ છે કે શું આગામી સમયમાં ભારતની રફ્તાર પર ખરેખર બ્રેક લાગવાની છે અથા આ માત્ર એક અસ્થાયી આંચકો જ સાબિત થશે?
તાજેતરનું અનુમાન ચિંતા વધારનારું છે. ગોલ્ડમેન સૈક્સ (Goldman Sachs) પ્રમાણે, નાણાંકીય વર્ષ 2026માં ભારતનો જીડીપી ગ્રોથ (GDP Growth) 7 ટકાથી ઘટીને લગભગ 5.9 ટકા સુધી આવી શકે છે. જે અર્થતંત્ર અત્યાર સુધી ઝડપથી આગળ વધી રહ્યું હતું, તેની ચાલ ધમી પડવાનો ખતરો સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. તેનું માત્ર એક જ કારણ નથી. ભૂ-રાજકીય તણાવ, મોંઘુ થતું ખનીજતેલ અને નબળી પડતી માંગ, ત્રણેય મળીને ગ્રોથ પર દબાણ બનાવી રહ્યા છે.
આ પણ વાંચો: "શાંતિ નથી જોતી, યુદ્ધની તૈયારી કરીએ છીએ": આ રાષ્ટ્રપ્રમુખ તો Trump ના "ભાઈ" નીકળ્યા!
મોંઘવારી (Inflation) ફરીથી ઉંચકી રહી છે માથું
ગ્રોથની ચિંતા વચ્ચે મોંઘવારી (Inflation) પણ ધીરેધીરે વધી રહી છે. ફેબ્રુઆરીમાં ગ્રાહક મોંઘવારી દર વધીને 3.21 ટકા પર પહોંચ્યો, જે જાન્યુઆરીમાં 2.75 ટકા હતો. આ સતત ચોથો મહિનો છે જ્યારે મોંઘવારી (Inflation) માં વધારો થયો છે. ખાસ વાત એ છે કે ખાણીપીણીની વસ્તુઓની મોંઘવારી ઝડપથી વધી છે, જે 3.47 ટકા સુધી પહોંચી ગઈ છે. તેની સીધી અસર આમ આદમીના ખિસ્સા પર પડી રહી છે. જો કે આ હજીપણ આરબીઆઈના નિર્ધારીત માપદંડમાં છે, પરંતુ વધતો ટ્રેન્ડ એક ચેતવણી જરૂર આપી રહ્યો છે.
આ પણ વાંચો: Trump પછી કોણ બનશે અમેરિકાના આગામી રાષ્ટ્રપ્રમુખ? મોટા ઈન્વેસ્ટરની ભવિષ્યવાણી
Crude Oil સૌથી મોટો ટ્રિગર પોઈન્ટ
Trezix ના સીઈઓ કૉ-ફાઉન્ડર હરેશ કેલકટ્ટાવાલા (Haresh Calcuttawala) મુજબ, ભારત માટે સૌથી મોટો ખતરો Crude Oil ની વધતી કિંમતો છે. દેશ પોતાની જરૂરતનું લગભગ 85 ટકા Crude Oil આયાત કરે છે, માટે કિંમત વધતા જ અસર સીધી અર્થવ્યવસ્થા પર પડે છે. તેમનું કહેવું છે કે દર 10 ડોલરનો વધારો ચાલુ નાણાંકીય ખાદ્ય જીડીપીના 0.3 ટકાથી 0.4 ટકા સુધી વધી શકે છે. તેની અસર રૂપિયા પર દબાણ અને મોંઘવારી સ્વરૂપે સામે આવે છે. એટલે કે Crude Oil ની કિંમતો માત્ર એક સેક્ટર નહીં, પરંતુ સંપૂર્ણ ઈકોનોમીને પ્રભાવિત કરે છે.
કેલકટ્ટાવાલાનું માનવું છે કે વધતી પડતર ભારતના નિકાસ માટે પણ પડકાર બની શકે છે. ખાસ કરીને ટેક્સટાઈલ અને કેમિકલ જેવા સેક્ટર, જ્યાં કિંમતોની પ્રતિસ્પર્ધા મહત્વની હોય છે, ત્યાં ભારત પાછળ રહી શકે છે. તેની સાથે જ જો વૈશ્વિક સ્તર પર મોંઘવારી વધે છે અને મોટા દેશ વ્યાજદરોને વધારે છે, તો દુનિયાભરમાં માંગ ઘટી શકે છે, જેની સીધી અસર ભારતની નિકાસ પર પડશે.
આ પણ વાંચો: BRICS એ ઈરાન યુદ્ધ વચ્ચે ભારતની વધારી મુશ્કેલી!
China+1 નો મોકો, પણ સમય મર્યાદીત
China+1 રણનીતિ હેઠળ કંપનીઓ ચીનથી બહાર નીકળીને નવા દેશોની તલાશ કરી રહી છે અને ભારતને તેનો ફાયદો પણ મળી રહ્યો છે. પરંતુ હરેશ કેલકટ્ટાવાલા (Haresh Calcuttawala) એ ચેતવણી આપી છે કે આ મોકો હંમેશા રહેવાનો નથી. વિયતનામ અને મેક્સિકો જેવા દેશ ઝડપથી આગળ વધી રહ્યા છે. ભારતમાં ઈન્ફ્રાસ્ટ્ર્ક્ચર અને નિયમોની જટિલતા તેની રફ્તારને ઘટાડી શકે છે. જો સુધારો જલ્દી નહીં થાય, તો આ મોકો હાથમાંથી નીકળી શકે છે.
સરકાર માટે તકો અને પડકારો
આ સ્થિતિમાં સરકાર માટે પડકારો પણ છે અને મોકા પણ છે. કેલકટ્ટાવાલા (Haresh Calcuttawala) નું માનવું છે કે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેલપમેન્ટની રફ્તાર વધુ ઝડપી બનશે. તેની સાથે જ નિકાસ પ્રક્રિયાને આસાન બનાવવી, નવી વ્યાપાર સમજૂતી કરવી અને સ્કિલ ડેવલપમેન્ટ પર ધ્યાન આપવું જરૂરી છે. ભારતની પાસે ગ્લોબલ ટ્રાન્સશિપમેન્ટ હબ બનાવવાનો પણ મોકો છે, ખાસ કરીને દક્ષિણી કોરિડોરમાં, જેને યોગ્ય રણનીતિથી આગળ વધારી શકાય છે.
આ પણ વાંચો: Surrender of Trump?: હોર્મુઝ ખુલે કે બંધ રહે, ટ્રમ્પને તો બસ હવે ઈરાન યુદ્ધ રોકવું છે!
રૂપિયો કમજોર
બીજી તરફ IndiaBonds ના કૉ-ફાઉન્ડર વિશાલ ગોયનકા (Vishal Goenka) એ એક મોટો સવાલ ઉભો કર્યો છે. તેમનું કહેવું છે કે રૂપિયો ઝડપથી નબળો પડી રહ્યો છે અને તેની પાછળ ખનીજતેલની કિંમતો અને વૈશ્વિક તણાવ મોટું કારણ છે. વિદેશી રોકાણકારોની વેચવાલીએ આ દબાણને વધારી દીધું છે. તેવામાં સવાલ ઉઠી રહ્યો છે કે શું RBI વ્યાજદરોને વધારનારું ચોંકાવનારું પગલું ઉઠાવી શકે છે?
ગોયનકા 2013ની સ્થિતિનું ઉદાહરણ આપે છે, જ્યારે રૂપિયાને સંભાળવા માટે RBI ને અચાનક કડક પગલા ઉઠાવવા પડયા હતા. તેમનું માનવું છે કે જો સ્થિતિ આવી જ બનેલી રહે છે, તો RBI ફરીતી તે પ્રકારે પગલા ઉઠાવી શકે છે. જો આમ થયું, તો લોન મોંઘી થશે, બજાર પર દબાણ આવશે અને રોકાણકારોની રણનીતિ બદલાઈ શકે છે.
આખરી તસ્વીર
સંપૂર્ણ તસ્વીર એક સ્પષ્ટ ચેતવણી છે. ગ્રોથની રફ્તાર ધીમી પડી શકે છે, મોંઘવારી વધી શકે છે અને ખનીજતેલની કિંમતો આખો ખેલ બદલી શકે છે. ભારતની સામે હવે સૌથી મોટો પડકાર સંતુલન જાળવી રાખવાનો છે. એક તરફ વિકાસને બચાવવાનો છે અને બીજી તરફ મોંઘવારી-રૂપિયાને સંભાળવાના છે. આગામી દિવસોમાં લેવામાં આવેલા નિર્ણયો જ નક્કી કરશે કે આ દબાણ અસ્થાયી છે અથવા કોઈ મોટા પરિવર્તનની શરૂઆત છે.
આ પણ વાંચો: ટ્રમ્પના ભાષણથી Crude Oil ના ભાવ 4% થી વધુ ઉછળ્યા, ભારતમાં મોંઘવારી વધવાની આશંકા

