સોના અને ચાંદીના ઇમ્પોર્ટ રેટ પર કેન્દ્ર સરકારનો ઐતિહાસિક નિર્ણય
ભારતીય સોના-ચાંદીના બજારમાં રોકાણકારો અને ગ્રાહકો માટે છેલ્લા કેટલાક મહિનાઓ ઉતાર-ચઢાવથી ભરેલા રહ્યા છે. અગાઉ ઇમ્પોર્ટ ડ્યુટીમાં થયેલા ફેરફારોને કારણે બજારના વેપારીઓને ક્યારેક મોટો નફો તો ક્યારેક નુકસાન વેઠવું પડતું હતું. આ વૈશ્વિક ટ્રેન્ડ વચ્ચે નાણા મંત્રાલયે જ્વેલરી માર્કેટને વેગ આપવા માટે સોના અને ચાંદીની બેઝ ઇમ્પોર્ટ પ્રાઇસ (Base Import Price) માં ઘટાડો કરવાનો સત્તાવાર આદેશ જારી કર્યો છે .
1,23,381 રૂપિયા પ્રતિ 10 ગ્રામ નિધારિત
આ નવા કાનૂની આદેશ અનુસાર, સરકારે સોનાની બેઝ ઇમ્પોર્ટ પ્રાઇસ 51 ડોલર (ભારતીય ચલણ મુજબ આશરે 4,851 રૂપિયા) ઘટાડીને 1,297 ડોલર (આશરે 1,23,381 રૂપિયા) પ્રતિ 10 ગ્રામ નિર્ધારિત કરી છે. આ જ રીતે, ચાંદીની બેઝ ઇમ્પોર્ટ પ્રાઇસમાં 22 ડોલર (આશરે 2,092 રૂપિયા) નો ઘટાડો કરીને 1,875 ડોલર (આશરે 1,78,365 રૂપિયા) પ્રતિ કિલોગ્રામ કરવામાં આવી છે.
શું હોય છે બેઝ ઇમ્પોર્ટ પ્રાઇસ અને કસ્ટમ ડ્યુટી પર તેની સીધી અસરો
આર્થિક અને શરાફા બજારના નિયમો અનુસાર, બેઝ ઇમ્પોર્ટ પ્રાઇસ એ મૂળભૂત કિંમત છે જેના આધારે વિદેશથી આયાત કરવામાં આવતા સોના અને ચાંદી પર સરહદ શુલ્ક એટલે કે સીમા શુલ્ક (Custom Duty) ની સચોટ ગણતરી કરવામાં આવે છે (Base Import Price Reduction). આંતરરાષ્ટ્રીય બજારમાં ચાલતા કિંમતના ટ્રેન્ડ અને ડોલર સામે રૂપિયાના મૂલ્યને ધ્યાનમાં રાખીને ભારત સરકાર સમયાંતરે આ દરોમાં ફેરફાર કરે છે.
બ્રેઝ પાઈસમાં ઘટાડો થાય ત્યારે ટેક્સ ચૂકવવાની રકમ
જ્યારે આ બેઝ પ્રાઇસમાં ઘટાડો થાય છે, ત્યારે આયાતકારો માટે ટેક્સ ચૂકવવાની રકમ આપોઆપ ઓછી થઈ જાય છે. આ સરકારી નિર્ણયના કારણે સ્થાનિક બજારમાં કાનૂની રીતે સોનાની આયાત વધશે અને ગેરકાયદેસર રીતે થતી સ્મગલિંગ પ્રવૃત્તિઓ પર પણ મોટો અંકુશ આવશે તેવું બજારના અગ્રણી વિશ્લેષકોનું માનવું છે.
ગ્રાહકોના ખિસ્સા પર આ નિર્ણયની કેટલી અસર થશે?
સરકારના આ મહત્વપૂર્ણ કદથી સૌથી મોટો ફાયદો જ્વેલરી મેન્યુફેક્ચરર્સ અને બુલિયન ડીલર્સને થશે (Indian Bullion Market Trends). તેમની આયાત પડતર (Duty Cost) ઓછી થવાને કારણે બિઝનેસ માર્જિનમાં સુધારો થશે. જો વૈશ્વિક સ્તરે સોનાના ભાવો સ્થિર રહેશે અને યુએસ ડોલર સામે ભારતીય રૂપિયો મજબૂત સ્થિતિમાં રહેશે, તો વેપારીઓ આ ઘટાડાનો સીધો લાભ સામાન્ય ગ્રાહકો સુધી પહોંચાડશે.
સોનાના દાગીનાની ઘડામણમાં મળશે રાહત
આગામી લગ્નસરાની સીઝન અને તહેવારો પૂર્વે સામાન્ય ગ્રાહકો માટે સોનાના દાગીનાની ઘડામણ અને કિંમતોમાં થોડી રાહત મળી શકે છે. જો કે, આખરી રિટેલ કિંમત જીએસટી (GST), સ્થાનિક લોકલ પ્રીમિયમ અને જ્વેલર્સના મેકિંગ ચાર્જીસ પર પણ નિર્ભર કરતી હોવાથી, ગ્રાહકોને મળનારી રાહત મર્યાદિત હોઈ શકે છે, પરંતુ બજારના સેન્ટિમેન્ટ માટે આ એક ખૂબ જ સકારાત્મક સંકેત છે.
આ પણ વાંચો : GST collection June 2026: સરકારી તિજોરીમાં બમ્પર ઉછાળો, જૂનમાં GST કલેક્શન 1.94 લાખ કરોડને પાર