Indigo Airline દ્વારા મુસાફરોને અસુવિધાના કડવા ઘૂંટ પીવડાવતા રોષ
- Indigo Airline ના મુસાફરોને ફરી અસુવિધા થઇ
- આંતરરાષ્ટ્રીય ફ્લાઇટમાં કલાકો સુધી રઝળપાટ
- મુસાફરોએ અસુવિધાના વીડિયો સોશિયલ મીડિયામાં મુક્યા
- એરલાઇન્સ દ્વારા મુસાફરોને માહિતી અપાઇ હોવાનો દાવો કરાયો
Indigo Airline : ઇન્ડિગોની ફ્લાઇટએ (Indigo Airlines Flight) ફરી એકવાર મુસાફરો માટે અસુવિધા ઉભી કરી છે. ચેન્નાઈથી સિંગાપોર જતી આંતરરાષ્ટ્રીય ઇન્ડિગો ફ્લાઇટના (Chennai To Singapore International Flight) મુસાફરોને મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હોવાનું સામે આવ્યું છે. ફ્લાઇટ સમયસર રવાના ન થતાં 200 થી વધુ મુસાફરોને પાંચ કલાક સુધી વિમાનની અંદર રાહ જોવી પડી હતી. આ ઘટના 24 ફેબ્રુઆરીના રોજ સવારે ફ્લાઇટ રવાના થવાના સમય પહેલા બની હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ પણ વાંચો -------- Gurugram Drone Delivery : હવે ડિલિવરી બોય નહીં, રોબોટ આવશે તમારા ઘરના દરવાજે
Indigo Airline, સમસ્યા ઉકેલાઇ ત્યારે સમય નડ્યો
અહેવાલો અનુસાર, બધા મુસાફરો વિમાનમાં ચઢી ગયા પછી ટેકનિકલ ખામી સામે આવી હતી. એર કન્ડીશનીંગ સિસ્ટમમાં સમસ્યાને કારણે કે, બિન ગરમ થઈ ગયું હતું. ત્યારબાદ વિમાનને નિરીક્ષણ માટે ગ્રાઉન્ડ કરવામાં આવ્યું હતું. ટેકનિકલ નિરીક્ષણ અને સમારકામમાં વિલંબને કારણે વારંવાર વિલંબ થયો હતો. દરમિયાન, બીજી સમસ્યા ઊભી થઈ ગઇ હતી, પાઇલોટ્સ અને કેબિન ક્રૂ તેમના નિર્ધારિત ફરજ કલાકો સુધી પહોંચી ગયા હતા, જેને ઉડ્ડયન નિયમોમાં "ફ્લાઇટ ડ્યુટી સમય મર્યાદા" (Flight Duty Time Limitation) તરીકે ઓળખવામાં આવે છે, અને ઉડાણમાં ઓવરટાઇમ પ્રતિબંધિત છે, તેથી ક્રૂને બદલવામાં આવ્યો હતો. નવા ક્રૂને આવવા અને તેમની આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ સંબંધિત ઔપચારિકતાઓ પૂર્ણ કરવામાં પણ સમય લાગ્યો હતો.
Over 200 passengers on an @IndiGo flight from #Chennai to #Singapore were left stranded inside the #aircraft for nearly 5 hours due to technical issues. A long and frustrating wait on the tarmac. ✈️ #IndiGo #FlightDelay #AviationNews #UANow @AAI_Official pic.twitter.com/0PSsSfQq5F
— Rajesh Kumar Reddy E V (@rajeshreddyega) February 25, 2026
Indigo Airline, ...તો મુસાફરોનો વધુ સમય બગડત
મુસાફરોમાં સૌથી મોટી ચિંતા એ હતી કે, તેમને વિમાનમાંથી બહાર નીકળવાની મંજૂરી આપવામાં આવી ન હતી, અને તેઓ અંદર ગરમીથી પીડાતા રહ્યા હતા. એરલાઈને સમજાવ્યું કે, આ એક આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ હતી, અને મુસાફરોએ પહેલાથી જ ઇમિગ્રેશન પૂર્ણ કરી લીધું હતું. જો તેમને ઉતારવામાં આવ્યા હોત, તો તેમને ફરીથી સુરક્ષા અને ઇમિગ્રેશનમાંથી પસાર થવું પડત, જેના કારણે વિલંબ વધી શક્યો હોત. તેથી, મુસાફરોને વિમાનની અંદર રાહ જોવાનું કહેવામાં આવ્યું હતું.
એરલાઇન્સ દ્વારા ખુલાસો આપવામાં આવ્યો
ઘણા મુસાફરોએ સોશિયલ મીડિયા પર વિડિઓઝ અને પોસ્ટ શેર કરીને પોતાની નારાજગી વ્યક્ત કરી છે. મુસાફરોએ કહ્યું કે, તેમને સચોટ માહિતી આપવામાં આવી ન હતી, અને લાંબા સમય સુધી બંધ વિમાનમાં બેસવું અત્યંત મુશ્કેલ હતું. બાળકો, વૃદ્ધો અને બીમાર મુસાફરો માટે આ પરિસ્થિતિ વધુ મુશ્કેલ હતી. એક નિવેદનમાં, એરલાઈને કહ્યું કે, મુસાફરોની સલામતી તેની ટોચની પ્રાથમિકતા છે. ટેકનિકલ કારણોસર અને ક્રૂમાં ફેરફારને કારણે થયેલા વિલંબ બદલ તે દિલગીર છે. એરલાઈનના જણાવ્યા અનુસાર, મુસાફરોને સમયસર માહિતી અને જરૂરી સુવિધાઓ પૂરી પાડવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. આખરે, લાંબી રાહ જોયા પછી, ફ્લાઇટ ચેન્નાઈથી સિંગાપોર જવા રવાના થઈ હતી.
આ પણ વાંચો ------- Japan Buddharoid : આજના સમયના ‘આધુનિક સંત’નું અવતરણ !


