Indigo Controversy : સિંદૂર-મંગલસુત્ર પર મનાઇ, હિજાબને મંજૂરીનો દાવો સામે આવ્યો
- Indigo Controversy ને લઇને એરલાઇન્સ ફરી ચર્ચામાં આવી છે
- કંપનાના પૂર્વ કર્મચારીએ ગ્રુમિંગ બુકના સ્ક્રીનશોટ શેર કરતા વિવાદ થયો
- એરલાયન્સ દ્વારા તમામ કથિત આરોપોને ફગાવી દેવામાં આવ્યા છે
Indigo Controversy : ભારતીય એરલાઇન ઇન્ડિગોએ (Indigo Airlines Controversy) તેના કર્મચારીઓને સિંદૂર અને તિલક કરવાની મનાઈ હોવાના કથિત દાવાઓ સોશિયલ મીડિયામાં સામે આવતા ગરમાવો આવ્યો છે. લેન્સકાર્ટ બાદ બીજી કંપની પર આ પ્રકારના આરોપો લાગી રહ્યા છે, જો કે બીજી તરફ એરલાઇન્સ દ્વારા આ આરોપોને નકારી કાઢવામાં આવ્યા છે. એરલાઇન્સે જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયા પર તેની ગ્રુમિંગ નીતિ (Airlines Grooming Policy) અંગે ફરતા દસ્તાવેજો ખોટા છે. આ વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે એક પૂર્વ યુઝરે ગ્રુમિંગ હેન્ડબુકના સ્ક્રીનશોટ શેર કર્યા હતા. જેમાં તિલક, સિંદૂર, મંગળસૂત્ર અને રક્ષાસુત્ર જેવી વસ્તુઓ પર પ્રતિબંધનો સમાવેશ થાય છે, જ્યારે હિજાબ અને પાઘડી જેવી વસ્તુઓને મંજૂરી આપવામાં આવી છે.
Indigo Controversy, વૈશ્વિક શ્રેષ્ઠ પ્રથાઓ સાથે સુસંગત
ઇન્ડિગોના પ્રવક્તાએ લોકોને સાવધાની રાખવા અને વણચકાસાયેલ અથવા બનાવટી દસ્તાવેજો શેર ન કરવા વિનંતી કરી. એરલાઇન્સે એ પણ સ્પષ્ટતા કરી કે, તેની નીતિઓ, ખાસ કરીને કેબિન ક્રૂ અને પાઇલોટ્સ માટે, વૈશ્વિક શ્રેષ્ઠ પ્રથાઓ સાથે સુસંગત છે. આ નીતિઓનો પ્રાથમિક ઉદ્દેશ્ય બોર્ડ પર ક્રૂ સભ્યો અને મુસાફરો બંનેની ઓપરેશનલ સલામતી અને સુખાકારી સુનિશ્ચિત કરવાનો છે. તેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, ઇન્ડિગો એક સમાવિષ્ટ કાર્યસ્થળને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ છે.
IndiGo Airlines एयर इंडिया lenskart से भी दो कदम आगे निकल गई 🙄
IndiGo को हिजाब वाली महिला पायलट कबूल है लेकिन तिलक कलावा सिंदूर मंगलसूत्र नामंजूर pic.twitter.com/ceLThBACSY
— Anu Dagar (@TheAnuDagar) April 24, 2026
આ પણ વાંચો - Gold Rate Today : સોનાના ભાવે તોડ્યા તમામ રેકોર્ડ! આજે અમદાવાદ અને સુરતમાં શું છે લેટેસ્ટ રેટ?
Indigo Controversy, ગ્રુમિંગ માર્ગદર્શિકા ઓનલાઈન સામે આવી ગઇ
ડ્રેસ કોડ સંબંધિત વાયરલ દસ્તાવેજોને કારણે વિવાદમાં ફસાયેલી ઇન્ડિગો એકમાત્ર એરલાઇન નથી. સિંદૂર અને મંગળસૂત્રો સામે વાંધો ઉઠાવતા, આંતરિક ગ્રુમિંગ માર્ગદર્શિકા ઓનલાઈન સામે આવ્યા પછી એર ઇન્ડિયાએ પણ હેડલાઇન્સ બનાવી હતી. વાયરલ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, ગણવેશ સાથે ઘરેણાં અને એસેસરીઝ અંગે કડક નિયમો છે, અને કર્મચારીઓને ફક્ત સાદા ચાંદી અથવા સોનાના બંગડી પહેરવાની મંજૂરી છે.
આ વિવાદો પણ સામે આવી ચૂક્યા છે
જો કે, મોટા કોર્પોરેટ સાથે આ પ્રકારનો વિવાદ કોઇ નવી વાત નથી. તાજેતરમાં જ શાર્ક ટેન્ક ફેમ જજ નમિતા થાપર તેમના નિવેદનના કારણે ટ્રોલ કરવામાં આવ્યા હતા. દરમિયાન લેન્સકાર્ટ નામની મોટી કંપનીની જૂની નીતિના ડોક્યૂમેન્ટ્સ પણ વાયરલ થયા હતા. જેમાં હિન્દુ ચિન્હોને ના અને અન્ય ધર્મોની ઓળખ ધારણ કરવાને હા પાડવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો - Open AI Case : એલોન મસ્કનું દિલ દોસ્ત માટે પીગળ્યું, જાણો સમગ્ર મામલો


