Infosys Hiring : AI ની સૂનામીમાં નોકરીઓ જવાના ડર વચ્ચે ભારતીય કંપની ભરતી કરશે
- Infosys Hiring ને લઇને મોટી વાત સામે આવી છે
- AI થકી નોકરી જવાના ડર વચ્ચે કંપની ભરતી કરશે
- 20 હજાર ફ્રેશર્સ ગ્રેજ્યુએટ્સને કંપની સાથે જોડવામાં આવશે
Infosys Hiring : આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ટેકનોલોજીના વધતા ઉપયોગને કારણે, વિશ્વભરની કંપનીઓ મોટા પાયે કર્મચારીઓની છટણી (AI Related Job Cut) કરી રહી છે. દરમિયાન, ભારતીય ટેક કંપની ઇન્ફોસિસે એક અલગ વલણ અપનાવ્યું છે અને નવી ભરતી વિશે વાત કરી છે. રિપોર્ટ અનુસાર, ઇન્ફોસિસે સ્પષ્ટ કર્યું છે કે તે હાલમાં કર્મચારીઓને છૂટા કરશે નહીં. કંપની માને છે કે AI નોકરીઓ ખતમ નહીં કરે, પરંતુ કામ કરવાની રીતમાં ફેરફાર લાવશે.
Infosys Hiring, ભવિષ્યની જરૂરિયાત પૂર્ણ કરવાની તૈયારી
ઇન્ફોસિસ આ વર્ષે આશરે 20,000 નવા સ્નાતકોને નોકરી પર રાખવાની યોજના ધરાવે છે. આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે ઘણી કંપનીઓ એન્ટ્રી લેવલ પર ભરતી ઘટાડી રહી છે. કંપનીનું કહેવું છે કે ભવિષ્યમાં નવી પ્રતિભાઓની જરૂરિયાત ચાલુ રહેશે. ફ્રેશર્સને કંપનીના વિકાસ યોજનાનો એક મહત્વપૂર્ણ ભાગ માનવામાં આવી રહ્યો છે અને તેમના દ્વારા ભવિષ્યની જરૂરિયાતોને પૂર્ણ કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો - Gold Price Today : ઘટ્યા પછી ફરી વધ્યા સોનાના ભાવ, જાણો તમારા શહેરમાં શું છે આજના ભાવ
Infosys Hiring, AI વગર અને સાથે કામ કરવાનું શીખવાડાય
કંપની નવા કર્મચારીઓને AI સાથે કામ કરવા માટે તાલીમ આપી રહી છે. તેમને AI વગર અને AI સાથે વધુ સારી રીતે કેવી રીતે કામ કરવું તે શીખવવામાં આવી રહ્યું છે. તાલીમમાં સિસ્ટમ્સ બનાવવા, AI-જનરેટેડ કોડને સમજવા અને તેને સુધારવાનો સમાવેશ થાય છે. કંપનીના આ પગલાનો ઉદ્દેશ્ય એવા કાર્યબળનું નિર્માણ કરવાનો છે જે બદલાતી ટેકનોલોજીમાં સરળતાથી પોતાને અનુકૂલિત કરી શકે.
પોતાનું પ્લેટફોર્મ પણ વિકાસવવાનું જારી
ઇન્ફોસિસ માને છે કે AI નોકરીઓ ખતમ નહીં કરે, પરંતુ કામ કરવાની રીતને સંપૂર્ણપણે બદલી નાખશે. કંપનીના મતે, આવનારા સમયમાં વધુ કુશળ નોકરીઓ વધશે અને લોકોને નવી જવાબદારીઓ મળશે. ઇન્ફોસિસ એઆઈ કંપનીઓ સાથે કામ કરી રહી છે અને પોતાના પ્લેટફોર્મ પણ વિકસાવી રહી છે. કંપનીનું કહેવું છે કે ભવિષ્યમાં નોકરીઓ ઓછી નહીં હોય, પરંતુ વિવિધ પ્રકારની નોકરીઓ હશે.
આ પણ વાંચો - Market Closing : શેરબજારમાં હાહાકાર, રોકાણકારોના રૂ. 4 લાખ કરોડ ધોવાયા


