Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Mukesh Ambani Salary : મુકેશ અંબાણીનો પગાર શૂન્ય? તો પછી આટલી અઢળક સંપત્તિ ક્યાંથી આવે છે? જાણો રહસ્ય

Reliance Industries ના ચેરમેન Mukesh Ambani એ આર્થિક શિસ્તનું અજોડ ઉદાહરણ પૂરું પાડ્યું છે. કંપનીના અહેવાલ મુજબ, સતત છઠ્ઠા વર્ષે તેમણે પોતાનો કોઈ પણ પ્રકારનો પગાર લીધો નથી. કોવિડ-19 દરમિયાન શરૂ કરેલી આ પરંપરા તેમણે આજે પણ જાળવી રાખી છે. તેમની આવકનો મુખ્ય સ્ત્રોત કંપનીના શેરો પર મળતું ડિવિડન્ડ જ છે, જે તેમને એક સફળ બિઝનેસમેન તરીકેની ઓળખ અપાવે છે.
mukesh ambani salary   મુકેશ અંબાણીનો પગાર શૂન્ય  તો પછી આટલી અઢળક સંપત્તિ ક્યાંથી આવે છે  જાણો રહસ્ય
Advertisement

Mukesh Ambani Salary : એશિયાના સૌથી ધનિક વ્યક્તિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (Reliance Industries) ના ચેરમેન મુકેશ અંબાણી (Mukesh Ambani) એ આર્થિક શિસ્ત અને નૈતિક મૂલ્યોનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. કંપનીના તાજેતરના વાર્ષિક અહેવાલ (Annual Report) મુજબ, સતત છઠ્ઠા વર્ષે મુકેશ અંબાણીએ પોતાની કંપનીમાંથી કોઈ પણ પ્રકારનો પગાર (Salary) લીધો નથી. નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માં તેમણે વેતન, ભથ્થાં કે અન્ય કોઈ પણ નિવૃત્તિ લાભો લેવાનું સ્વેચ્છાએ ટાળ્યું છે.

પગાર છોડવાનો નિર્ણય: એક ઐતિહાસિક કદમ

મુકેશ અંબાણીએ વર્ષ 2020-21માં કોવિડ-19 (COVID-19) મહામારીના સમયમાં જ્યારે દેશ અને અર્થતંત્ર કપરા કાળમાંથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે સ્વેચ્છાએ પોતાનો પગાર છોડવાનો નિર્ણય લીધો હતો. તેમનો મુખ્ય ઉદ્દેશ્ય એ હતો કે જ્યાં સુધી કંપનીના તમામ વ્યવસાયો તેમની સંપૂર્ણ કમાણી ક્ષમતા પર પાછા ન ફરે, ત્યાં સુધી તેઓ વેતન નહીં લે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે નાણાકીય વર્ષ 2025-26 માં ₹૯૫,૭૫૪ કરોડનો અત્યાર સુધીનો સૌથી વધુ નફો (Net Profit) નોંધાવ્યો છે અને કંપનીનું માર્કેટ કેપિટલ (Market Value) ₹18.19 લાખ કરોડ રહ્યું છે, તેમ છતાં તેમણે આ પરંપરા જાળવી રાખી છે.

Advertisement

આવકનો અસલી સ્ત્રોત: ડિવિડન્ડ

પગાર ન લેવા છતાં, અંબાણીની મુખ્ય આવકનું સાધન તેમની કંપનીમાં રહેલી હિસ્સેદારી છે. રિલાયન્સમાં તેમના સીધા 1.61 કરોડ શેર છે, જેના પર મળતા ડિવિડન્ડ (Dividend Income) દ્વારા તેમને વર્ષ દરમિયાન નોંધપાત્ર આવક થાય છે. અંબાણીના સંતાનો ઈશા (Isha Ambani), આકાશ (Akash Ambani) અને અનંત (Anant Ambani) ને ઓક્ટોબર 2023 માં કંપનીના બોર્ડમાં સામેલ કરવામાં આવ્યા હતા, પરંતુ તેઓ પણ કોઈ પગાર લેતા નથી; તેમને માત્ર મીટિંગ ફી અને કમિશન મળે છે.

Advertisement

કોર્પોરેટ ગવર્નન્સનું ઉદાહરણ

1977 થી રિલાયન્સ સાથે જોડાયેલા અને 2002માં ચેરમેન પદ સંભાળનાર મુકેશ અંબાણીને 2023માં ફરીથી પાંચ વર્ષ માટે (એપ્રિલ 2029 સુધી) કંપનીના પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમણે આ નવી મુદત દરમિયાન પણ પગાર ન લેવાનો નિર્ણય અકબંધ રાખ્યો છે. આ કદમ સાબિત કરે છે કે તેમના માટે કંપનીનું લાંબા ગાળાનું હિત હંમેશા અંગત વેતન કરતા ઉપર રહ્યું છે. તેમના ભાઈઓ અને અન્ય વરિષ્ઠ નિર્દેશકોના પગારમાં વધારો થયો હોવા છતાં, મુકેશ અંબાણીની આ 'નો-સેલરી' નીતિ કોર્પોરેટ જગતમાં ચર્ચાનો વિષય અને પ્રેરણારૂપ બની છે.

આ પણ વાંચો : RBI New Rules 2026 : RBI ના 5 નવા નિયમો: લોન લેનારાઓ અને બેંક ગ્રાહકોની હવે થશે બલ્લે-બલ્લે!

Tags :
Advertisement

.

×