Lalitaben Ashabhai Patel: ખીચડી કઢીના દમ પર ગુજ્જુ દાદીએ વિદેશમાં ઉભું કર્યું બિઝનેસ સામ્રાજ્ય, Success Story વાંચી તમને પણ થશે ગર્વ
- Lalitaben Ashabhai Patel: મૂલ્યોની મૂર્તિ લલિતાબેન પટેલ
- લલિતાબેન પટેલે ફિજીમાં કેવી રીતે ઉભું કર્યું આશાભાઈ ગ્રુપનું સામ્રાજ્ય?
- લલિતાબેન પટેલના અદભૂત જીવનની પ્રેરણાદાયી સફર
- પતિની બીમારી અને બિઝનેસના પડકારો સામે નારી શક્તિનો વિજય
- વેપારમાં નૈતિકતા અને પરિવારમાં એકતાનો આપ્યો મંત્ર
- નવી પેઢીને આપ્યો જીવન જીવવાનો અનોખો સંદેશ
- વિદેશમાં પણ ગુજરાતી સંસ્કારોની મહેક
- ખીચડી-કઢી અને મઠિયા-ચેવડો છે આ પરિવારની સાચી ઓળખ
Lalitaben Ashabhai Patel: ગુજરાતના આણંદ (Anand) જિલ્લાના ઓડ (Ode) ગામમાં જન્મેલા લલિતાબેન આશાભાઈ પટેલનું જીવન નારી શક્તિ અને અતૂટ આત્મવિશ્વાસનું (Self-confidence) ઉત્તમ ઉદાહરણ છે. એક સામાન્ય ખેડૂત પરિવારમાં ઉછરેલા લલિતાબેનના લગ્ન વર્ષ 1947માં આશાભાઈ પરષોત્તમ પટેલ સાથે થયા હતા, જેઓ ફિજી (Fiji) સ્થાયી થયા હતા. લગ્ન બાદ લલિતાબેન જ્યારે અજાણ્યા દેશ ફિજી પહોંચ્યા ત્યારે ભાષા અને સંસ્કૃતિના અવરોધો (Barriers) હોવા છતાં તેમણે હિંમત હારી નહીં. તેમણે પરિવારના સપનાઓને સાકાર કરવા માટે પોતાના પતિના દરેક સંઘર્ષમાં ખભેખભો મિલાવીને સાથ આપ્યો અને આજના સફળ બિઝનેસ સામ્રાજ્યનો પાયો નાખ્યો.
જન્મ અને વતન (Birth and Native)
લલિતાબેનનો જન્મ 1 જૂન, 1930 ના રોજ ગુજરાતના (Gujarat) આણંદ જિલ્લાના ઓડ (Ode) ગામમાં થયો હતો. તેઓ એક સામાન્ય ખેડૂત પરિવારમાં (Humble dwelling) ઉછર્યા હતા. તેમના પિતાનું નામ અંબાલાલ પટેલ અને માતાનું નામ ગંગાબેન હતું.
તેઓ એક અત્યંત બુદ્ધિશાળી અને વ્યવહારુ (Inventive and Amiable) મહિલા હતા. તેમણે પોતાના સંતાનોને ઉચ્ચ શિક્ષણ (Higher Education) અપાવવા પર ભાર મૂક્યો હતો, જેમાં તેમના પુત્રોએ એકાઉન્ટન્સી અને સિવિલ એન્જિનિયરિંગ જેવો અભ્યાસ કર્યો છે.
લગ્ન (Marriage)
તેમના લગ્ન વર્ષ 1947 માં આશાભાઈ પરષોત્તમ પટેલ (Ashabhai Parshotam Patel) સાથે થયા હતા. લગ્ન સમયે તેમની ઉંમર માત્ર 15 વર્ષની હતી. લગ્નના એક વર્ષ બાદ તેઓ પોતાના પતિ પાસે ફિજી (Fiji) રહેવા ગયા હતા.
બિઝનેસ અને સંઘર્ષ (Business and Struggle)
આશાભાઈ પટેલે ફિજીમાં શરૂઆતના તબક્કે ખૂબ જ મહેનત કરી અને વર્ષ 1957માં પોતાના બે મિત્રો સાથે મળીને ભાગીદારીમાં (Partnership) વેપાર શરૂ કર્યો હતો. લલિતાબેનના નિરંતર પ્રોત્સાહનને કારણે આ વેપાર ધીરે ધીરે ફૂલ્યો-ફાલ્યો અને વર્ષ 1967માં આશાભાઈ એન્ડ કંપની (Ashabhai & Co.) અસ્તિત્વમાં આવી. શરૂઆતના દિવસોમાં ગ્રાહકો દુકાન બહાર લાંબી લાઈનો લગાવતા હતા, જે તેમની પ્રામાણિકતા અને ગુણવત્તાનો પુરાવો હતો. આજે આ કંપની 2000થી વધુ પ્રોડક્ટ્સ ધરાવે છે અને ફિજી તેમજ ન્યુઝીલેન્ડ (New Zealand) જેવા દેશોમાં ડાયરેક્ટ ડિસ્ટ્રિબ્યુશન (Distribution) નેટવર્ક ધરાવતી એક મોટી સંસ્થા બની ગઈ છે.
આ પણ વાંચો------- Kirti Lakhamshi Bhai Shah: કચ્છના રણથી મુંબઈના ફેશન જગત સુધીની ઝળહળતી સફર, પ્રગતિ ફેશન્સના સ્થાપક કિર્તીભાઈ શાહ
કપરા સમયની કસોટી અને પારિવારિક એકતાનું બળ
પટેલ પરિવાર માટે વર્ષ 1978નો સમય સૌથી વધુ પડકારજનક (Challenging) રહ્યો હતો, જ્યારે આશાભાઈ પટેલને લકવા (Paralysis) નો હુમલો આવ્યો હતો. આ મુશ્કેલ ઘડીમાં લલિતાબેને હિંમત રાખીને માત્ર પરિવાર જ નહીં પરંતુ બિઝનેસની જવાબદારી પણ પોતાના ખભે લીધી હતી. તેમના ત્રણ પુત્રો - હરીશ, પ્રકાશ અને જયંતે પણ નાની ઉંમરે જવાબદારીઓ સ્વીકારી અને પિતાના વિઝનને (Vision) આગળ વધાર્યું. લલિતાબેન માને છે કે જીવન અને વ્યવસાયમાં સફળતા મેળવવા માટે નૈતિકતા (Ethics) અને પારિવારિક એકતા (Family Unity) સૌથી મહત્વના પાસા છે, જે તેમણે પોતાના સંતાનોમાં પણ ઉતાર્યા છે.
સામાજિક જવાબદારી અને માતૃભૂમિ પ્રત્યેનો અતૂટ પ્રેમ
આશાભાઈ ગ્રુપ ઓફ કંપનીઝ માત્ર નફો કમાવવાના હેતુથી નહીં, પરંતુ સામાજિક ઉત્તરદાયિત્વ (Social Responsibility) નિભાવવામાં પણ અગ્રેસર રહે છે. આ પરિવાર શિક્ષણ, આરોગ્ય અને જરૂરિયાતમંદો માટેના હાઉસિંગ પ્રોજેક્ટ્સમાં (Housing Projects) ઉદાર હાથે દાન આપે છે. ભલે આ પરિવાર વિદેશમાં સ્થાયી થયો હોય, પણ તેમની પરંપરા અને સંસ્કારો આજે પણ ભારતીય છે. લલિતાબેન અને તેમનો પરિવાર આજે પણ ગુજરાતી ભોજન જેવા કે ખીચડી-કઢી અને મઠિયા-ચેવડો (Snacks) ખૂબ જ હોંશે ખાય છે. "બીજા માટે દયાળુ અને મદદગાર બનવું" એ લલિતાબેનના જીવનનું મુખ્ય સૂત્ર (Philosophy of Life) રહ્યું છે.
આ પણ વાંચો------ Krishnakant Vakharia: વિશ્વ ગુજરાતી સમાજના પથદર્શક કૃષ્ણકાંત વખારિયા


