Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

6 ફેબ્રુઆરીએ રજૂ થઈ શકે છે New Income Tax Bill,જાણો શું થઈ શકે છે ફેરફાર

ટેક્સ સ્લેબમાં ફેરફાર કરવામાં આવ્યોછે 6 ફેબ્રુઆરીએ નવું આવકવેરા બિલ રજૂ કરશે લોકોના હાથમાં વધુ પૈસા બચશે. Budget 2025: બજેટ 2025-26માં ટેક્સ સ્લેબમાં ફેરફાર કરવામાં આવ્યો છે, જેનાથી સામાન્ય માણસના હાથમાં પહેલા કરતા વધુ પૈસા બચશે. તે જ સમયે,...
6 ફેબ્રુઆરીએ રજૂ થઈ શકે છે new income tax bill જાણો શું થઈ શકે છે ફેરફાર
Advertisement
  • ટેક્સ સ્લેબમાં ફેરફાર કરવામાં આવ્યોછે
  • 6 ફેબ્રુઆરીએ નવું આવકવેરા બિલ રજૂ કરશે
  • લોકોના હાથમાં વધુ પૈસા બચશે.

Budget 2025: બજેટ 2025-26માં ટેક્સ સ્લેબમાં ફેરફાર કરવામાં આવ્યો છે, જેનાથી સામાન્ય માણસના હાથમાં પહેલા કરતા વધુ પૈસા બચશે. તે જ સમયે, ટેક્સ પ્રક્રિયાને સરળ બનાવવા માટે, સરકાર હવે 6 ફેબ્રુઆરીએ New Income Tax Bill રજૂ કરી શકે છે. નવા આવકવેરા બિલનો હેતુ વર્તમાન આવકવેરા કાયદામાં વ્યાપક સુધારા લાવવાનો છે અને આવકવેરા બિલના વર્તમાન અંદાજે 6 લાખ શબ્દોમાંથી 3 લાખ શબ્દોને સંભવિતપણે ઘટાડવાનો છે.

સ્લેબમાં ફેરફારમાં થશે ફેરફાર

મળતી માહિતી અનુસાર નવા આવકવેરા ડ્રાફ્ટ બિલમાં ટેક્સ બેઝ વધારવા માટે પગલાં લેવામાં આવી શકે છે, જે નવા આવકવેરા સ્લેબની રજૂઆતને કારણે ઘટ્યા છે. નાણાપ્રધાન નિર્મલા સીતારમણે બજેટ પછીની પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે નવી આવકવેરા વ્યવસ્થાના સ્લેબમાં ફેરફારથી એક કરોડથી વધુ લોકોને સીધો ફાયદો થશે. સીતારમને કહ્યું કે આવકવેરાની મર્યાદા 7 લાખ રૂપિયાથી વધારીને 12 લાખ રૂપિયા કરવાથી એક કરોડથી વધુ લોકોના હાથમાં વધુ પૈસા બચશે.

Advertisement

આ પણ  વાંચો-'ડીપસીક'ને ટક્કર આપશે ChatGPTનું 'ડીપ રિસર્ચ' ટૂલ, ટેક્સ્ટની સાથે ઈમેજ-વીડિયોમાં માહિતી આપશે

Advertisement

લોકો 8 લાખ રૂપિયા કમાઈ રહ્યા છે

બજેટ 2025-26માં પ્રસ્તાવિત નવા સ્લેબ મુજબ, 12 લાખ રૂપિયા સુધીની આવક ધરાવતા લોકોને કોઈ આવકવેરો ચૂકવવો પડશે નહીં. વર્તમાન ટેક્સ દર અને નાણાકીય વર્ષ 2025-26માં પ્રસ્તાવિત નવા દરો વચ્ચે સરખામણી કરતાં, તેમણે કહ્યું કે જે લોકો 8 લાખ રૂપિયા કમાઈ રહ્યા છે તેમના ખિસ્સામાં 30,000 રૂપિયા વધુ બચશે કારણ કે તેમની કર જવાબદારી શૂન્ય થઈ ગઈ છે.

આ પણ  વાંચો-માત્ર 24 કલાકમાં ક્રિપ્ટો માર્કેટમાં મોટું ગાબડું, રોકાણકારોને અધધધ... નુકસાન

આવકવેરો ચૂકવવો પડશે નહીં

નવી સિસ્ટમ હેઠળ, 12 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ આવકવેરો ચૂકવવો પડશે નહીં (કેપિટલ ગેઇન જેવી વિશેષ આવક સિવાય દર મહિને 1 લાખ રૂપિયાની સરેરાશ આવક). 75,000 રૂપિયાના સ્ટાન્ડર્ડ ડિડક્શનને કારણે, પગારદાર કરદાતાઓ માટે આ મર્યાદા રૂપિયા 12.75 લાખ થશે

Tags :
Advertisement

.

×