ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

હવે ટુ-વ્હીલર ચાલકોએ પણ આપવો પડશે ટોલ ટેક્સ, જાણો વધુ વિગત

નેશનલ હાઈવેનો ઉપયોગ કરતા ટુ-વ્હીલર ચાલકો માટે એક મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા જારી કરાયેલા નવા નિયમ મુજબ, હવે 15 જુલાઈ, 2025 થી ટુ-વ્હીલર ચાલકોએ નેશનલ હાઈવે પર ટોલ ટેક્સ પણ ચૂકવવો પડશે.
02:17 PM Jun 26, 2025 IST | Hardik Shah
નેશનલ હાઈવેનો ઉપયોગ કરતા ટુ-વ્હીલર ચાલકો માટે એક મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા જારી કરાયેલા નવા નિયમ મુજબ, હવે 15 જુલાઈ, 2025 થી ટુ-વ્હીલર ચાલકોએ નેશનલ હાઈવે પર ટોલ ટેક્સ પણ ચૂકવવો પડશે.
Toll Tax On Two wheelers

Toll Tax On Two wheelers : નેશનલ હાઈવે પર મુસાફરી કરતા ટુ-વ્હીલર ચાલકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. જીહા, જો તમે ટુ-વ્હીલર ચલાવો છો અને નેશનલ હાઈવેનો ઉપયોગ કરો છો, તો આ સમાચાર તમારા માટે છે. 15 જુલાઈ, 2025થી ટુ-વ્હીલર વાહનો પર પણ ટોલ ટેક્સ લાગુ થશે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) દ્વારા જારી નવા નિયમ મુજબ, FASTag દ્વારા ટોલ ટેક્સની વસૂલાત કરવામાં આવશે, અને નિયમનું પાલન ન કરનારાઓને 2,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. આ નવો નિયમ ટુ-વ્હીલર ચાલકો માટે નવો ખર્ચ ઉમેરશે, જેનાથી નેશનલ હાઈવેનો ઉપયોગ કરતા લાખો લોકો પર અસર પડશે.

હવે ટુ-વ્હીલર વાહનો પાસેથી પણ ટોલ ટેક્સ વસૂલવામાં આવશે

રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર મુસાફરી કરતા ટુ-વ્હીલર ચાલકો માટે એક મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) એ 15 જુલાઈ, 2025 થી ટુ-વ્હીલર માટે ટોલ ટેક્સ ફરજિયાત કરવાની જાહેરાત કરી છે. અત્યાર સુધી ટુ-વ્હીલર વાહનોને ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવતી હતી, પરંતુ હવે આ નિયમ બદલાવા જઈ રહ્યો છે. NHAI ની નવી જોગવાઈઓ અનુસાર, હવે ટુ-વ્હીલર વાહનોને રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર મુસાફરી કરવા માટે પણ ટોલ ટેક્સ ચૂકવવો પડશે, અને આ ચુકવણી FASTag દ્વારા કરવી ફરજિયાત રહેશે. ટુ-વ્હીલર ચાલકોએ હવે દરેક ટોલ પ્લાઝા પર ટોલ ચૂકવવો પડશે જ્યાં નિયમો લાગુ થશે.

પહેલાં ટોલ કેમ ચૂકવવો પડતો ન હતો?

અત્યાર સુધી, જ્યારે નવું ટુ-વ્હીલર ખરીદવામાં આવતું હતું, ત્યારે તેની નોંધણી સમયે ટોલ ટેક્સની અંદાજિત રકમ એકસાથે વસૂલવામાં આવતી હતી. આ કારણોસર, તેમને ટોલ પ્લાઝા પર અલગ ફી ચૂકવવાની રહેતી ન હતી. પરંતુ હવે કેન્દ્ર સરકારે આ જૂની જોગવાઈનો અંત લાવીને ટોલ પ્લાઝા પર સીધી ફી વસૂલવાનો નિર્ણય લીધો છે.

₹ 2,000 સુધીનો દંડ

જણાવી દઇએ કે, નવા નિયમો હેઠળ, દરેક ટુ-વ્હીલર માટે FASTag હોવું ફરજિયાત રહેશે. જે વાહનચાલકો ટોલ ચૂકવવાનું ટાળવાનો પ્રયાસ કરે છે, અથવા FASTag નો ઉપયોગ કરતા નથી, તેમને ₹ 2,000 સુધીનો દંડ ભરવો પડી શકે છે. હાલમાં, ટોલ ટેક્સ ફક્ત ફોર-વ્હીલર અથવા મોટા વાહનો પાસેથી જ વસૂલવામાં આવે છે. પરંતુ હવે બધા ટુ-વ્હીલર પણ આ નિયમના દાયરામાં આવશે. એટલે કે, મોટરસાયકલ, સ્કૂટર, એક્ટિવા જેવા તમામ વાહનો હવે ટોલ ફીના દાયરામાં આવશે.

આ પણ વાંચો :  દેશભરના લાખો વાહન ચાલકો માટે મોટા સમાચાર, 15 ઓગસ્ટથી FASTag સંબંધિત નિયમોમાં થશે ફેરફાર

Tags :
Bike Toll Tax IndiaFASTag for BikesGujarat FirstGUJARAT FIRST NEWSHardik ShahIndia Highway Toll UpdateJuly 15 Toll Rule ChangeMotorcycle Toll ChargesNational Highway Authority of IndiaNational Highway Toll ChargesNew Highway Rules India 2025NHAINHAI New Rules 2025Scooter Toll FASTagtoll taxToll Tax On Two wheelerstwo wheelersTwo-wheelerTwo-Wheeler FASTag MandatoryTwo-Wheeler Toll CollectionTwo-Wheeler Toll Fee₹2000 Penalty for No FASTag
Next Article