વૈશ્વિક સંકટ વચ્ચે પણ ભારતનું અર્થતંત્ર મજબૂત : નાણામંત્રી Nirmala Sitharaman
- પશ્ચિમ એશિયા સંકટ વચ્ચે ભારત માટે 3Fs પર ફોકસ જરૂરી : Nirmala Sitharaman
- ભારત માટે Fuel, Fertilizer અને Forex બન્યા સૌથી મોટા પડકાર
- વૈશ્વિક સંકટ વચ્ચે પણ ભારતનું અર્થતંત્ર મજબૂત : નિર્મલા સીતારમણ
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman) એ પશ્ચિમ એશિયામાં વધતા તણાવ વચ્ચે ભારતને Fuel, Fertilizer અને Forex એટલે કે 3Fs પર વિશેષ ધ્યાન આપવાની જરૂરિયાત હોવાનું જણાવ્યું છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે વૈશ્વિક પડકારો વચ્ચે પણ ભારતનું સ્થાનિક અર્થતંત્ર (Indian Economy) મજબૂત અને સ્થિર છે. સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા (SIDBI) ના 37મા સ્થાપના દિવસ સમારોહ દરમિયાન સંબોધન કરતાં નાણાંમંત્રીએ જણાવ્યું કે દેશની આર્થિક સ્થિતિ અંગે નકારાત્મક વાતાવરણ ઉભું કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે, પરંતુ હકીકતમાં ભારત મજબૂત સ્થિતિમાં છે.
બળતણ, ખાતર અને ફોરેક્સ (3Fs) પર વધતી ચિંતા
નિર્મલા સીતારમણે જણાવ્યું કે હાલ ક્રૂડ ઓઇલ (Crude Oil) ના ભાવ સતત વધી રહ્યા છે, જેના કારણે પેટ્રોલ (Petrol) અને ડીઝલ (Diesel)ના ભાવમાં પણ ભારે વધારો નોંધાઈ રહ્યો છે. તેમણે જણાવ્યું કે પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટી (Excise Duty)માં ઘટાડો કરવાના નિર્ણયથી સરકારને અંદાજે ₹1 લાખ કરોડનું મહેસૂલ નુકસાન થશે. તેમણે વધુમાં કહ્યું કે, ખાતરના વધતા ભાવો ખેડૂતો અને કૃષિ ક્ષેત્ર માટે પડકારરૂપ બની રહ્યા છે. સાથે જ ફોરેક્સ (Foreign Exchange Reserves) અને સોનાના વધતા ભાવો પણ ભારતના બાહ્ય આર્થિક ક્ષેત્ર માટે ચિંતાનો વિષય બની રહ્યા છે. નાણાંમંત્રીએ સ્પષ્ટ કર્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) દ્વારા બળતણ બચાવવા કરાયેલી અપીલનો હેતુ દેશને આવનારા વૈશ્વિક પડકારો માટે તૈયાર કરવાનો છે.
#WATCH | Mumbai | Explaining importance of the PM's call to conserve foreign exchange, Union Finance Minister Nirmala Sitharaman says, "...We should understand the context and focus on the three Fs- fuel, fertilizer and foreign exchange."
"I will delve into this because it has… https://t.co/xojGvTV8Ol pic.twitter.com/emX49mLJ0c
— ANI (@ANI) May 25, 2026
દેશમાં ભય ફેલાવવાનો પ્રયાસ ન થાય : Nirmala Sitharaman
નાણામંત્રી સીતારમણે કેટલાક લોકો પર દેશની આર્થિક સ્થિતિને લઈને ખોટી અને નકારાત્મક છબી ઉભી કરવાનો આરોપ લગાવ્યો. તેમણે જણાવ્યું કે દેશના વિકાસ અને સકારાત્મક કામગીરીને અવગણીને નિરાશાજનક વાતાવરણ તૈયાર કરવામાં આવી રહ્યું છે, જે યોગ્ય નથી. તેમણે કહ્યું કે ભારતની હાલની મુશ્કેલીઓ મુખ્યત્વે બાહ્ય પરિબળો (External Factors)ને કારણે છે, જ્યારે દેશનું આંતરિક અર્થતંત્ર મજબૂત છે. આવી સ્થિતિમાં લોકોને ભયભીત કરવાની જગ્યાએ વિશ્વાસ જાળવવો વધુ જરૂરી છે.
MSMEs માટે મોટી ચિંતા
નાણામંત્રીએ સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગો (MSMEs) અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે MSMEs ને મળવાની આશરે ₹8.1 લાખ કરોડની બાકી ચૂકવણી હજુ અટવાઈ છે, જેના કારણે આ ઉદ્યોગોની વર્કિંગ કેપિટલ (Working Capital) અને વિકાસ પર ગંભીર અસર પડી રહી છે. તેમણે જાહેર ક્ષેત્રના ઉપક્રમો (PSUs) ને સ્પષ્ટ સૂચના આપી કે 45 દિવસથી વધુ સમય સુધી MSMEs ની ચૂકવણી અટકાવવી ન જોઈએ.
આ પણ વાંચો : EPFO New Rules 2026 : હવે ATM અને UPI દ્વારા પણ ઉપાડી શકાશે પીએફના નાણાં, જાણો કેવી રીતે?


