Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Petrol Diesel Price India : પેટ્રોલ-ડીઝલ મોંઘા થશે? સરકારે તમામ અફવાઓ પર મૂક્યું પૂર્ણવિરામ

જ્યારે મિડિલ ઈસ્ટના યુદ્ધે દુનિયાભરમાં તેલના ભાવમાં ભડકો થવાની બીક જગાડી છે, ત્યારે ભારત સરકારના એક વ્યૂહાત્મક પગલાએ કરોડો વાહનચાલકોને મોટી ચિંતામાંથી ઉગારી લીધા છે. હોર્મુઝની કટોકટી વચ્ચે ભારતે જે રીતે પોતાની તેલ સપ્લાય લાઈન સુરક્ષિત કરી છે, તે જાણ્યા પછી તમને સમજાશે કે શા માટે અત્યારે પેટ્રોલ-ડીઝલના ભાવ નહીં વધે અને ગભરાવાની જરૂર કેમ નથી.
petrol diesel price india   પેટ્રોલ ડીઝલ મોંઘા થશે  સરકારે તમામ અફવાઓ પર મૂક્યું પૂર્ણવિરામ
Advertisement
  • દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં કોઈ વધારો નહીં થાય (Petrol Diesel Price India)
  • સરકારે તેલનો પૂરતો સ્ટોક હોવાનો નાગરિકોને આપ્યો ભરોસો
  • હોર્મુઝ જલડમરુમધ્ય પર નિર્ભરતા ઘટાડવા ભારતની નવી રણનીતિ
  • તેલ આયાતના 70% સ્ત્રોતો હવે હોર્મુઝ સિવાયના રૂટ પર શિફ્ટ
  • પેટ્રોલ પંપ પર ગભરાટમાં ભીડ ન કરવા સરકારની ખાસ અપીલ

Petrol Diesel Price India : મિડિલ ઈસ્ટમાં (Middle East) વધતા જતા તણાવને કારણે જ્યારે આખું વિશ્વ ઊર્જા સંકટની આશંકાથી ફફડી રહ્યું છે, ત્યારે ભારતના સામાન્ય નાગરિકો માટે રાહતના સમાચાર આવ્યા છે. ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેના સંઘર્ષને કારણે વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ વધવાની શક્યતા હતી, પરંતુ ભારત સરકારે સ્પષ્ટ કર્યું છે કે દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં (Petrol-Diesel Prices) કોઈ વધારો કરવામાં આવશે નહીં.

Petrol Diesel Price India : ભાવ સ્થિર રાખવા સરકારની કટિબદ્ધતા

સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, દેશમાં ઈંધણનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે. હોર્મુઝ જલડમરુમધ્ય (Strait of Hormuz), જે વિશ્વના તેલ પરિવહન માટેનો સૌથી મહત્વનો માર્ગ છે, ત્યાં ચાલી રહેલી ઉથલપાથલ પર ભારતની પેની નજર છે. સરકારે આશ્વાસન આપ્યું છે કે પરિસ્થિતિ નિયંત્રણમાં છે અને લોકોએ ગભરાઈને પેટ્રોલ પંપ પર ભીડ કરવાની કોઈ જરૂર નથી.

Advertisement

Advertisement

હોર્મુઝ પર નિર્ભરતામાં ઘટાડો

ભારતે પોતાની તેલ સુરક્ષા (Oil Security) મજબૂત કરવા માટે એક વ્યૂહાત્મક ફેરફાર કર્યો છે. અગાઉ ભારત પોતાની જરૂરિયાતના કુલ કાચા તેલનો 60% હિસ્સો હોર્મુઝ જલડમરુમધ્ય સિવાયના અન્ય સ્ત્રોતો અને માર્ગો પરથી મંગાવતું હતું. હવે આ નિર્ભરતાને વધુ સુરક્ષિત બનાવવા માટે આ હિસ્સો વધારીને 70% કરી દેવામાં આવ્યો છે. આ રણનીતિને કારણે, જો હોર્મુઝ માર્ગ બંધ થાય અથવા ત્યાં તણાવ વધે, તો પણ ભારતની સપ્લાય ચેઈન ખોરવાશે નહીં.

વિપક્ષના પ્રહારો અને સરકારનો વળતો જવાબ

એલપીજી (LPG) ના ભાવ વધારા અંગે વિપક્ષ દ્વારા કરવામાં આવેલા આક્ષેપોને સરકારે પાયાવિહોણા ગણાવ્યા છે. પેટ્રોલિયમ મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે તેમનું ધ્યાન હાલમાં વાહનચાલકોને સસ્તું ઈંધણ પૂરું પાડવા પર છે. સરકાર જે રીતે તેલ આયાતના વિકલ્પો વધારી રહી છે, તેનાથી સ્પષ્ટ છે કે આગામી દિવસોમાં પણ ઈંધણનો પુરવઠો સુચારૂ રીતે ચાલુ રહેશે. ભારતની આ ‘ઓઈલ ડિપ્લોમસી’ સામાન્ય જનતા માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે.

આ પણ વાંચો : Iranian Warship: અમેરિકાના હુમલા બાદ ઈરાનનું યુદ્ધજહાજ ભારત કેમ આવ્યું? જાણો અંદરની વાત

Tags :
Advertisement

.

×