Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Government : હાલ નહી વધે પેટ્રોલ-ડિઝલના ભાવ! સરકારે કરી મોટી વાત

Government : પેટ્રોલિયમ મંત્રીએ સ્પષ્ટતા કરી કે દેશમાં ઇંધણની કોઈ અછત નથી અને લોકોએ અફવાઓના આધારે ગભરાવું જોઈએ નહીં. વૈશ્વિક બજારની સ્થિતિ અને ક્રૂડ ઓઇલના ભાવનો ઉલ્લેખ કરીને, મંત્રીએ ભવિષ્યમાં ઇંધણના દરોમાં સુધારા (વધારા)નો સંકેત આપ્યો. આ ભાવમાં ફેરફાર માટે ચાલુ આંતરરાષ્ટ્રીય તણાવ અને સપ્લાય ચેઇન વિક્ષેપોને પ્રાથમિક કારણો તરીકે દર્શાવવામાં આવ્યા છે.
government   હાલ નહી વધે પેટ્રોલ ડિઝલના ભાવ  સરકારે કરી મોટી વાત
Advertisement
  • Government એ પેટ્રોલ-ડિઝલના ભાવને લઈ કરી વાત
  • પેટ્રોલ-ડિઝલના ભાવ નહી વધવાના સંકેત
  • પેટ્રોલ-ડિઝલની અફવાઓથી દૂર રહેવા સરકારની અપીલ
  • દેશમાં 60 દિવસનું તેલ સ્ટોક
  • સરકાર પાસે 60 દિવસનું LNG

Government : કેન્દ્રીય તેલ મંત્રી હરદીપ સિંહ પુરીએ 12 મેના રોજ જણાવ્યું હતું કે, સરકારે એલપીજી (lpg) ઉત્પાદન લગભગ 35 હજાર ટનથી વધારીને 55-60 હજાર ટન કર્યું છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે દેશમાં ક્યાંય પણ ઈંધણની અછત નથી. મંત્રીએ એવો પણ સંકેત આપ્યો હતો કે ઈંધણના ભાવમાં વધારો થઈ શકે છે, પરંતુ તેમણે એવી અટકળોને ફગાવી દીધી હતી કે, સરકારે તાજેતરમાં પૂર્ણ થયેલી રાજ્ય ચૂંટણીઓને કારણે ભાવમાં કોઈપણ ફેરફાર મુલતવી રાખ્યો છે. 10 મેના રોજ, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ એક કાર્યક્રમમાં દેશને પેટ્રોલ અને ડીઝલનો ઉપયોગ ઓછો કરવાની સલાહ આપી હતી. તેમણે કારપૂલિંગ અને જાહેર પરિવહનને પ્રોત્સાહન આપ્યું હતું, જેથી ક્રૂડ ઓઇલની (crued oil) આયાત ઓછી થાય અને દેશના વિદેશી હૂંડિયામણ ભંડાર પર તેની અસર ઓછી થાય. આનાથી દેશમાં પેટ્રોલ અને ડીઝલની અછત સર્જાશે કે કેમ તે અંગે લોકોની ચિંતા વધી ગઈ. હવે જ્યારે તેલ મંત્રીએ નિવેદન બહાર પાડ્યું છે, ત્યારે થોડી રાહત અનુભવી શકાય છે.

Tags :
Advertisement

.

×