ભારતના 'ક્રોપ પ્રોટેક્શન કિંગ' Rajju Shroff અને Sandra Shroff ની અદભૂત success story
- Rajju Shroff Sandra Shroff success story
- UPL ના સ્થાપક રજ્જુ શ્રોફની સફળતાની ગાથા
- વાપીના રણમાંથી કેવી રીતે ઉભું કર્યું વૈશ્વિક સામ્રાજ્ય?
- ભારતને કૃષિ ક્ષેત્રે આત્મનિર્ભર બનાવનાર 'ક્રોપ પ્રોટેક્શન કિંગ'
- સેન્ડ્રા શ્રોફે વિદેશી હોવા છતાં ભારતીય સંસ્કારોને અપનાવ્યા
Rajju Shroff Sandra Shroff success story: શું કોઈ અંગ્રેજ મહિલા કચ્છી, મરાઠી અને ગુજરાતી બોલીને કોઈ ભારતીય પરિવારની કરોડરજ્જુ બની શકે? શું એક નાનકડું વાપી જેવું ગામ આજે વિશ્વના 130 દેશોમાં ઓળખાઈ શકે? આ તમામ સવાલોનો જવાબ એક જ દંપતી પાસે છે – રજ્જુ અને સેન્ડ્રા શ્રોફ. જેમણે આયાત થતા કેમિકલ્સને ભારતમાં બનાવીને વિદેશી કંપનીઓને પણ ઘૂંટણિયે પાડી દીધી હતી. કેવી રીતે શરૂ થઈ આ 'કેમિકલ લોચા' થી કરોડોના સામ્રાજ્ય સુધીની સફર?
કચ્છની માટીમાં જ કંઈક એવું છે કે ત્યાંનો માણસ દુનિયાના કોઈપણ છેડે જાય, તે સફળતાના ઝંડા રોપીને જ રહે છે. આવી જ એક પ્રેરણાદાયી ગાથા છે રજ્જુ શ્રોફની, જેમણે ગુજરાતના વાપીથી સફર શરૂ કરી અને UPL ને વિશ્વની ટોચની કંપની બનાવી. એક સાચો ગુજરાતી જ્યારે શૂન્યમાંથી સર્જન કરે ત્યારે કેવું સામ્રાજ્ય ઉભું થાય છે, તે આ આર્ટિકલ વાંચીને તમે સમજી શકશો.
વારસાગત સંસ્કાર અને પ્રારંભિક શિક્ષણ (Education)
રજ્જુ શ્રોફનો જન્મ 1933 માં થયો હતો. તેમના પિતા દેવીદાસભાઈ અને કાકા ચનરાજભાઈ શ્રોફ આઝાદી પહેલાના સમયથી ટેક્સટાઇલ (Textile) વ્યવસાય સાથે સંકળાયેલા હતા. 1930 ની મહામંદી (Great Recession) વખતે પરિવારે ભેંસો બાંધવાના તબેલામાંથી પેઈન-બામ અને હેર-ઓઈલ બનાવીને વેચવાનું શરૂ કર્યું હતું. રજ્જુભાઈને બાળપણથી જ રસાયણો (Chemicals) પ્રત્યે વિશેષ લગાવ હતો. તેમણે મુંબઈની ખાલસા કોલેજમાંથી કેમેસ્ટ્રીમાં ગ્રેજ્યુએશન (Graduation) પૂર્ણ કર્યું. ત્યારબાદ 1956 માં તેઓ પરિવારની ફેક્ટરીના રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ (R&D) વિભાગમાં જોડાયા. લંડન ખાતેના અનુભવ દરમિયાન તેમણે 'મર્ક્યુરિક ક્લોરાઇડ' બનાવવાની નવી ટેકનોલોજી વિકસાવી, જેના માટે બ્રિટિશ કંપનીએ તેમને સૌપ્રથમ રોયલ્ટી (Royalty) ચૂકવી હતી.
લંડનની ભેટ અને લગ્ન જીવન (Marriage)
રજ્જુ શ્રોફના જીવનમાં સેન્ડ્રા શ્રોફનું આગમન લંડન પ્રવાસ દરમિયાન થયું હતું. સેન્ડ્રા મૂળ લંડનના વતની હતા. એક અંગ્રેજ મહિલા હોવા છતાં તેમણે ભારતને પોતાનો દેશ (Country) બનાવ્યો. વર્ષ 1960 માં રજ્જુ અને સેન્ડ્રાના લગ્ન થયા અને તેઓ મુંબઈ સ્થાયી થયા. સેન્ડ્રાએ ગુજરાતી, હિન્દી, મરાઠી અને કચ્છી ભાષા પર પ્રભુત્વ મેળવીને સંપૂર્ણપણે ભારતીય સંસ્કૃતિ (Culture) અપનાવી લીધી. તેમણે રજ્જુ શ્રોફના દરેક સંઘર્ષમાં પડછાયાની જેમ સાથ આપીને પરિવાર અને વ્યવસાય વચ્ચે સંતુલન જાળવ્યું.
આ પણ વાંચો----- ઉદ્યોગસાહસિક અને સેવાના પર્યાય Rekha Bajaria, કચ્છથી અમેરિકા સુધીની સંઘર્ષમય અને Success Story
વાપીના રણમાં 'યુપીએલ' નું સર્જન અને સંઘર્ષ (Struggle)
વર્ષ 1969 માં રજ્જુ શ્રોફે વાપી ખાતે યુનાઈટેડ ફોસ્ફરસ લિમિટેડ (United Phosphorus Limited) ની સ્થાપના કરી. તે સમયે વાપી એક નાનકડું ગામ હતું જ્યાં કોઈ પાયાની સુવિધાઓ (Facilities) ઉપલબ્ધ નહોતી. વીજળી, પાણી કે લેબરની ભારે અછત વચ્ચે તેમણે મુંબઈથી કામદારો લાવીને શૂન્યમાંથી એક વિશાળ સામ્રાજ્ય ઉભું કર્યું. લાલ ફોસ્ફરસ (Red Phosphorus) નું સ્વદેશી ઉત્પાદન કરીને તેમણે ભારતને આયાત પરની નિર્ભરતામાંથી મુક્તિ અપાવી. આ અપ્રતિમ સિદ્ધિ બદલ ભારત સરકારે તેમને પ્રેસિડેન્ટ ગોલ્ડ શીલ્ડ (President's Gold-Shield) એવોર્ડ એનાયત કર્યો હતો. આજે UPL વિશ્વના 130 થી વધુ દેશોમાં ફેલાયેલું વટવૃક્ષ બની ગયું છે.
સામાજિક ઉત્તરદાયિત્વ અને લોકસેવા (Philanthropy)
વ્યવસાયિક સફળતાની સાથે શ્રોફ પરિવારે સામાજિક સેવા (Social Service) માં પણ મોટું યોગદાન આપ્યું છે. સેન્ડ્રા શ્રોફે જ્ઞાન ધામ વાપી ચેરીટેબલ ટ્રસ્ટ હેઠળ શાળાઓ, હોસ્પિટલો અને નર્સિંગ કોલેજોની સ્થાપના કરી. આ કપલે આદિવાસી ખેડૂતોને ખેતીની આધુનિક પદ્ધતિઓ શીખવવામાં અને ગામડાઓમાં ટ્યુબવેલ બનાવી પાણીની સુવિધા આપવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. અંકલેશ્વર રોટરી એજ્યુકેશન સોસાયટી અને રજ્જુ શ્રોફ રોફેલ ઇન્સ્ટિટ્યૂટ જેવી સંસ્થાઓ આજે હજારો યુવાનોનું ભવિષ્ય (Future) ઘડી રહી છે. રજ્જુ શ્રોફને તેમના જીવનકાળ દરમિયાન અનેક આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય એવોર્ડ્સથી સન્માનિત કરવામાં આવ્યા છે.
વારસો અને પારિવારિક મૂલ્યો (Family Values)
રજ્જુ અને સેન્ડ્રા શ્રોફના સંતાનો શિલ્પા, જયદેવ અને વિક્રમ આજે કંપનીના મેનેજમેન્ટ (Management) માં સક્રિય છે. જયદેવ શ્રોફ અત્યારે કંપનીના સીઈઓ (CEO) તરીકે આંતરરાષ્ટ્રીય સ્તરે વ્યવસાય સંભાળે છે, જ્યારે વિક્રમ શ્રોફ કંપનીની સિસ્ટમ અને આંતરિક સંચાલન પર ધ્યાન આપે છે. આ શક્તિશાળી દંપતીનું જીવન સૂત્ર 'સતત કામ કરો અને ફરિયાદ ઓછી કરો' (Keep working and crib less) રહ્યું છે. મુંબઈમાં સ્થાયી હોવા છતાં, કચ્છના આ સપૂતે ક્યારેય પોતાની માતૃભૂમિ (Motherland) અને માનવતાના મૂલ્યોને વિસારે પાડ્યા નથી.
આ પણ વાંચો----- પોરબંદરમાં મગફળી વેચનારનો પુત્ર કેવી રીતે બન્યો આફ્રિકાનો બિઝનેસ ટાયકૂન? જાણો Rizwan Adatia ની Success Story


