Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Download Apps
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Rbi Gold Reserve News : RBI એ ભારતનું સોનું વેચ્યું? જાણો શું છે સત્ય અને શા માટે વાયરલ થઈ આ અફવા!

ભારતીય રિઝર્વ બેંક એ સોનું વેચવાના મીડિયા અહેવાલોને સંપૂર્ણપણે નકારી કાઢ્યા છે. બેંકે સ્પષ્ટ કર્યું છે કે ભારતનું ગોલ્ડ રિઝર્વ 880.52 ટન પર સ્થિર છે અને તેમાં કોઈ ઘટાડો થયો નથી. પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો એ પણ આ અહેવાલોને ફેક ગણાવ્યા છે. રોકાણકારોને સલાહ આપવામાં આવી છે કે તેઓ આવી અફવાઓથી દૂર રહીને માત્ર સત્તાવાર ડેટા પર જ વિશ્વાસ રાખે.
rbi gold reserve news   rbi એ ભારતનું સોનું વેચ્યું  જાણો શું છે સત્ય અને શા માટે વાયરલ થઈ આ અફવા
Advertisement

Rbi Gold Reserve News : હાલમાં સોશિયલ મીડિયા પર એક સમાચાર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે કે ભારતીય રિઝર્વ બેંક (Reserve Bank of India - RBI) એ વિદેશી મુદ્રા ભંડાર (Foreign Exchange Reserve) ને બચાવવા માટે 12 અબજ ડોલરનું સોનું (Gold) વેચી દીધું છે. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ અને વૈશ્વિક અસ્થિરતા વચ્ચે આવેલી આ બ્લૂમબર્ગની (Bloomberg) રિપોર્ટને કારણે દેશના અર્થતંત્રને લઈને લોકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. જોકે, હવે આરબીઆઈએ પોતે આ અફવાઓ પર પૂર્ણવિરામ મૂકી દીધું છે.

Rbi Gold Reserve News : શું છે સમગ્ર સત્ય?

ભારતીય રિઝર્વ બેંકે સત્તાવાર પ્રેસ રિલીઝ બહાર પાડીને આ સમાચારોને પાયાવિહોણા અને ખોટા ગણાવ્યા છે. આરબીઆઈના જણાવ્યા અનુસાર, દેશના સોનાના ભંડાર (Gold Reserve) માં કોઈ જ ઘટાડો કરવામાં આવ્યો નથી. 3 જૂન, 2026 સુધીના લેટેસ્ટ આંકડા મુજબ, ભારત પાસે કુલ 880.52 ટન સોનું સુરક્ષિત અને અપરિવર્તિત છે. આરબીઆઈએ સ્પષ્ટ કર્યું છે કે આવી ભ્રામક વાતો પર વિશ્વાસ કરવાને બદલે માત્ર આરબીઆઈની સત્તાવાર વેબસાઇટ પર પ્રસિદ્ધ થતી માહિતીને જ માન્ય ગણવી જોઈએ.

Advertisement

PIB નું ફેક્ટ ચેક: શું કહે છે આંકડા?

માત્ર આરબીઆઈ જ નહીં, પરંતુ પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો (Press Information Bureau - PIB) એ પણ આ રિપોર્ટનું ફેક્ટ ચેક કરીને તેને 'ફેક' જાહેર કર્યું છે. પીઆઈબીએ ટ્વિટર (હવે X) પર આંકડાઓ સાથે તસવીર સ્પષ્ટ કરી છે કે, ભારતનું સોનાનું પ્રમાણ ઘટવાને બદલે સતત વધી રહ્યું છે. 31 માર્ચ, 2026 ના રોજ તે વધીને 16.70 ટકા થયું હતું, જે 22 મે, 2026 સુધીમાં વધીને 16.85 ટકા સુધી પહોંચ્યું છે.

Advertisement

વિદેશી મુદ્રા ભંડાર હાલ મજબૂત સ્થિતિમાં

નિષ્ણાતોના મતે, આવી અફવાઓનો ઉદ્દેશ્ય રોકાણકારો અને સામાન્ય જનતામાં ભ્રમ પેદા કરવાનો હોઈ શકે છે. ભારતનું વિદેશી મુદ્રા ભંડાર (Forex Reserves) હાલમાં મજબૂત સ્થિતિમાં છે. આરબીઆઈ દર મહિને પોતાના બુલેટિનમાં ભૌતિક સોનાના ભંડારનો ડેટા રજૂ કરે છે, જે સાબિત કરે છે કે ભારતની આર્થિક સુરક્ષા સંપૂર્ણપણે સુરક્ષિત છે. તેથી, કોઈપણ સોશિયલ મીડિયા અફવાઓથી દૂર રહીને માત્ર સત્તાવાર સ્ત્રોતો પર જ ભરોસો રાખવો હિતાવહ છે.

આ પણ વાંચો : Petrol-Diesel Price : આજે 1 લિટર પેટ્રોલ-ડીઝલનો ભાવ શું છે? જાણો નવા ભાવ

Tags :
Advertisement

.

×