Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

RBI નો વાર્ષિક રિપોર્ટ જારીઃ બેલેન્સ શીટ 8.20% વધીને ₹76.25 લાખ કરોડ થઈ, સરકારને રૂ. 2.69 લાખ મળ્યા

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ના વાર્ષિક રિપોર્ટ 2024-25 મુજબ, બેંકની બેલેન્સ શીટ 8.20% વધીને ₹76.25 લાખ કરોડ થઈ છે.
rbi નો વાર્ષિક રિપોર્ટ જારીઃ બેલેન્સ શીટ 8 20  વધીને ₹76 25 લાખ કરોડ થઈ  સરકારને રૂ  2 69 લાખ મળ્યા
Advertisement
  • RBI એ પોતાનો વાર્ષિક રિપોર્ટ જાહેર કર્યો
  • 2024-25 મુજબ, બેંકની બેલેન્સ શીટ 8.20% વધી
  • કેન્દ્ર સરકારને ₹2.69 લાખ કરોડનું ડિવિડન્ડ ચૂકવ્યું

RBI Annual Report: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ના વાર્ષિક રિપોર્ટ 2024-25 મુજબ, બેંકની બેલેન્સ શીટ 8.20% વધીને રૂ.76.25 લાખ કરોડ થઈ છે. આ વધારા પાછળના મુખ્ય કારણો સોનામાં વધારો, સ્થાનિક રોકાણ અને વિદેશી સંપત્તિઓ હતા. RBIએ કેન્દ્ર સરકારને રૂ.2.69 લાખ કરોડનું ડિવિડન્ડ ચૂકવ્યું. ઉપરાંત, રૂ.44,861.70 કરોડ આકસ્મિક ભંડોળમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા. આવકમાં 22.77% અને ખર્ચમાં 7.76% નો વધારો થયો છે.

RBIની બેલેન્સ શીટનું કદ વધ્યું

RBI એ વર્ષ 2024-25 માટેનો પોતાનો વાર્ષિક રિપોર્ટ જાહેર કર્યો છે. રિપોર્ટ અનુસાર, 31 માર્ચ, 2025 સુધીમાં RBIની બેલેન્સ શીટનું કદ વાર્ષિક ધોરણે 8.20% વધીને રૂ. 76.25 લાખ કરોડ થવાનું છે જે અગાઉના વર્ષના રૂ. 70.47 લાખ કરોડ હતું. RBI ના મતે, આ વધારા પાછળનું મુખ્ય કારણ સોનામાં 52.09%, સ્થાનિક રોકાણમાં 14.32% અને વિદેશી રોકાણમાં 1.70%નો વધારો હતો. કુલ સંપત્તિમાં, સ્થાનિક સંપત્તિનો હિસ્સો 25.73% હતો અને વિદેશી સંપત્તિ, સોનાના ભંડાર અને વિદેશી દેશોને આપવામાં આવેલી લોનનો હિસ્સો 74.27% હતો.

Advertisement

આ પણ વાંચો : Madhabi Puri Buch: ભ્રષ્ટાચારના કેસમાં SEBI ના પૂર્વ વડા માધવી બુચને મોટી રાહત!

Advertisement

સરકારને રૂ.2.69 લાખ કરોડનું ડિવિડન્ડ મળ્યું

વર્ષના અંતે, RBIએ રૂ. 2,68,590.07 કરોડની સરપ્લસ કમાણી કરી હતી, જે પાછલા વર્ષના રૂ.2,10,873.99 કરોડ કરતાં 27.37% વધારે હતી. આ સરપ્લસમાંથી કેન્દ્ર સરકારને રૂ.2.69 લાખ કરોડનું ડિવિડન્ડ પૂરું પાડવામાં આવ્યું હતું. રિપોર્ટમાં કહેવાયું છે કે આ સમયગાળા દરમિયાન RBIની કુલ આવકમાં 22.77% અને ખર્ચમાં 7.76%નો વધારો થયો છે.

રિઝર્વ બેંકના જણાવ્યા અનુસાર, જારી કરાયેલ ચલણ, પુનર્મૂલ્યાંકન ખાતા અને અન્ય જવાબદારીઓમાં અનુક્રમે 6.03%, 17.32% અને 23.31% નો વધારો જોવા મળ્યો. અહેવાલમાં એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે રૂ.44,861.70 કરોડની રકમ આકસ્મિક ભંડોળ (CF) માં ટ્રાન્સફર કરવામાં આવી છે, જે ભવિષ્યની અનિશ્ચિતતાઓનો સામનો કરવા માટે જરૂરી જોગવાઈનો એક ભાગ છે.

આ પણ વાંચો :  Business News: સોનું-ચાંદી મુકવા માટે અમીરોની પ્રથમ પસંદ છે આ ઇમારત

Tags :
Advertisement

.

×