Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

આ વખતે બચી ગયા, કોઈ 'પાપ ટેક્સ' નથી લગ્યો, જાણો શું છે પાપ ટેક્સ

પાપ ટેક્સ એવી ચીજવસ્તુઓ પર લાદવામાં આવે છે જે સ્વાસ્થ્ય અને સમાજ બંનેને નુકસાન પહોંચાડે છે. જેમાં દારૂ, ગુટખા, પાન મસાલા અને જુગાર વગેરેનો સમાવેશ થાય છે.
આ વખતે બચી ગયા  કોઈ  પાપ ટેક્સ  નથી લગ્યો  જાણો શું છે પાપ ટેક્સ
Advertisement
  • સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડતી વસ્તુઓ પર પાપ ટેક્સ લાગે છે
  • નિર્મલા સીતારમણે આ વખતે પાપ ટેક્સની વાત પણ કરી નથી
  • હવે તમારે 1 વર્ષ સુધી તેની કિંમત વધવાની ચિંતા કરવાની જરૂર નથી

Budget 2025 : પાપ ટેક્સ એવી ચીજવસ્તુઓ પર લાદવામાં આવે છે જે સ્વાસ્થ્ય અને સમાજ બંનેને નુકસાન પહોંચાડે છે. જેમાં દારૂ, ગુટખા, પાન મસાલા અને જુગાર વગેરેનો સમાવેશ થાય છે. આ બધી બાબતોને કારણે તેમના પર લાદવામાં આવેલ ટેક્સને પાપ કર (જેને સમ્પ્ચ્યુઅરી ટેક્સ અથવા વાઇસ ટેક્સ) કહેવામાં આવે છે.

ખેડૂતોને મોટી ભેટ

નાણામંત્રી નિર્મલા સીતારમણે નાણાકીય વર્ષ 2025-26 માટે સામાન્ય બજેટ રજૂ કર્યું છે. આ બજેટમાં, સરકારે પગારદાર લોકો માટે વાર્ષિક 12 લાખ રૂપિયા સુધીના પગાર પર આવકવેરો શૂન્ય કરી દીધો છે. આ સાથે નિર્મલા સીતારમણે આ વર્ષના બજેટમાં ખેડૂતોને એક મોટી ભેટ પણ આપી છે.

Advertisement

બીજી તરફ, નાણામંત્રી નિર્મલા સીતારમણે આ વખતે પાપ ટેક્સ અંગે કોઈ વાત કરી નથી. જો તમે પાપયુક્ત વસ્તુઓનો ઉપયોગ કરો છો, તો હવે તમારે 1 વર્ષ સુધી તેની કિંમત વધવાની ચિંતા કરવાની જરૂર નથી. અહીં અમે તમને વિગતવાર જણાવી રહ્યા છીએ કે કઈ વસ્તુઓ પર પાપ કર લાદવામાં આવે છે અને પાપ કર શું છે.

Advertisement

આ પણ વાંચો :  Budget 2025 માં આ વસ્તુઓ થઇ જશે તદ્દન સસ્તી, જ્યારે આ જીવન જરૂરી વસ્તુના ભાવ થશે ડબલ

કઈ વસ્તુઓ પર પાપ ટેક્સ લાદવામાં આવે છે?

પાપ ટેક્સ એવી ચીજવસ્તુઓ પર લાદવામાં આવે છે જે સ્વાસ્થ્ય અને સમાજ બંનેને નુકસાન પહોંચાડે છે. આમાં દારૂ, ગુટખા, પાન મસાલા અને જુગાર વગેરેનો સમાવેશ થાય છે. આ બધી બાબતોને કારણે, તેમના પર લાદવામાં આવતા કરને પાપનો કર કહેવામાં આવે છે. આ વખતે નાણામંત્રી નિર્મલા સીતારમણે સિન ટેક્સમાં વધારો કર્યો નથી. આ ઉપરાંત, ભારતમાં મોંઘા પરફ્યુમ, કાર્બોનેટેડ પીણાં, ઠંડા પીણાં, આયાતી વસ્તુઓ અને લક્ઝરી કાર પર પણ 'પાપ કર' વસૂલવામાં આવે છે. સિન મતલબ પાપ, એટલે તેને 'પાપ કર' પણ કહેવામાં આવે છે.

કઈ વસ્તુઓ પર કેટલો પાપ કર વસૂલવામાં આવે છે?

GST કાઉન્સિલની બેઠકમાં 'પાપ ટેક્સ'માં મહત્વપૂર્ણ ફેરફારો થાય છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં યોજાયેલી GST કાઉન્સિલની બેઠકમાં પણ સિન ટેક્સના દાયરામાં આવતી વસ્તુઓ પરના ટેક્સ દરમાં વધારો કરવામાં આવ્યો ન હતો. હાલમાં, સિગારેટ પર 52.7 ટકા, ધુમાડા રહિત તમાકુ પર 63 ટકા અને બીડી પર 22 ટકા પાપ કર વસૂલવામાં આવે છે. ઉદાહરણ તરીકે સમજીએ તો, જો તમે પાન મસાલા ખાવાના આદી છો અને તમે એક પાન મસાલાની પડીકી ખરીદો છો તો તે તમને 5 રૂપિયા લેખે એક નંગ પડશે. જેમાં તમે 63 ટકા લેખે એટલે કે 3 રૂપિયા અને 15 પૈસા ટેક્સ ચુકવો છો.

આ પણ વાંચો :  Budget 2025 : નાણામંત્રીના બજેટ રજૂ કર્યા બાદ જાણો નેતાઓની શું પ્રતિક્રિયાઓ આવી

Tags :
Advertisement

.

×