Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

વેદાંતા ગ્રુપમાં શોકનો માહોલ, અનિલ અગ્રવાલના પુત્ર Agnivesh Agarwal નું અમેરિકામાં નિધન

વેદાંતા ગ્રુપના ચેરમેન અનિલ અગ્રવાલના 49 વર્ષીય પુત્ર અગ્નિવેશ અગ્રવાલનું અમેરિકામાં નિધન થયું છે. ન્યૂયોર્કમાં સ્કીઇંગ અકસ્માત બાદ તેઓ હોસ્પિટલમાં રિકવર થઈ રહ્યા હતા, પરંતુ અચાનક હૃદયરોગનો હુમલો જીવલેણ સાબિત થયો. અનિલ અગ્રવાલે સોશિયલ મીડિયા પર અત્યંત ભાવુક પોસ્ટ લખી આ દિવસને જીવનનો સૌથી ખરાબ દિવસ ગણાવ્યો હતો. અગ્નિવેશ 'હિન્દુસ્તાન ઝિંક' ના ચેરમેન તરીકે કાર્યરત હતા અને વ્યાવસાયિક જગતમાં લોકપ્રિય હતા.
વેદાંતા ગ્રુપમાં શોકનો માહોલ  અનિલ અગ્રવાલના પુત્ર agnivesh agarwal નું અમેરિકામાં નિધન
Advertisement
  • Agnivesh Agarwal Passes Away : વેદાંતા ગ્રુપના ચેરમેન અનિલ અગ્રવાલના પુત્રનું અવસાન 
  • ચેરમેન અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું 49 વર્ષે નિધન
  • અનિલ અગ્રવાલે સોશિયલ મીડિયા પર ભાવુક પોસ્ટ શેર કરી

વેદાંતા ગ્રુપના ચેરમેન (Vedanta Group) અને પીઢ ઉદ્યોગપતિ અનિલ અગ્રવાલના (Anil Agarwal) પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. તેમના 49 વર્ષીય પુત્ર અગ્નિવેશ અગ્રવાલનું અમેરિકાની હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન થયું છે. અનિલ અગ્રવાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક અત્યંત ભાવુક પોસ્ટ શેર કરીને આ  સમાચાર આપ્યા હતા અને આ દિવસને તેમના જીવનનો 'સૌથી ખરાબ દિવસ' ગણાવ્યો હતો.

Agnivesh Agarwal Passes Away :  અગ્નિવેશનું નિધન

મળતી માહિતી મુજબ, અગ્નિવેશ અમેરિકામાં એક સ્કીઇંગ (Skiing) અકસ્માતનો ભોગ બન્યા હતા. તેમને ગંભીર હાલતમાં ન્યૂયોર્કની માઉન્ટ સિનાઈ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં તેમની તબિયતમાં ધીરે-ધીરે સુધારો થઈ રહ્યો હતો, પરંતુ નિયતિને કંઈક બીજું જ મંજૂર હતું. અચાનક હૃદયરોગનો હુમલો (Cardiac Arrest) આવતા તેમનું નિધન થયું હતું.

Advertisement

Advertisement

અનિલ અગ્રવાલે લખી  ભાવુક પોસ્ટ

અનિલ અગ્રવાલની ભાવુક વિદાય પુત્ર ગુમાવવાનું અસહ્ય દુઃખ વ્યક્ત કરતા અનિલ અગ્રવાલે લખ્યું, "એક પિતા માટે પોતાના પુત્રને કાંધ આપવી એ કલ્પના બહારનું દુઃખ છે. તે માત્ર મારો પુત્ર નહોતો, મારો મિત્ર અને મારું ગૌરવ હતો." તેમણે વધુમાં જણાવ્યું કે અગ્નિવેશ 'આત્મનિર્ભર ભારત'ના સ્વપ્નમાં દ્રઢ શ્રદ્ધા ધરાવતો હતો. તેમના પુત્રની યાદમાં અનિલ અગ્રવાલે સંકલ્પ કર્યો છે કે તેઓ પોતાની આવકનો મોટો હિસ્સો સમાજ સેવામાં વાપરવાનું ચાલુ રાખશે અને હવેથી વધુ સાદું જીવન જીવશે.

કોણ હતા અગ્નિવેશ અગ્રવાલ?

3 જૂન, 1976ના રોજ પટનાના મધ્યમ વર્ગીય પરિવારમાં જન્મેલા અગ્નિવેશે અજમેરની પ્રતિષ્ઠિત માયો કોલેજમાંથી અભ્યાસ કર્યો હતો. તેમણે વ્યવસાયિક જગતમાં 'ફુજૈરાહ ગોલ્ડ'ની સ્થાપના કરી હતી અને 'હિન્દુસ્તાન ઝિંક'ના ચેરમેન તરીકે પણ સેવા આપી હતી. તેઓ માત્ર એક સફળ ઉદ્યોગપતિ જ નહીં, પણ સંગીત અને રમતગમતના શોખીન અને સાદગીભર્યા વ્યક્તિત્વ તરીકે જાણીતા હતા.

આ પણ વાંચો: સર્વિસ સેક્ટરના દમ પર FY26માં 7.4%ના દરથી વધશે ભારતની ઈકોનોમી, MoSPIનું અનુમાન

Tags :
Advertisement

.

×