Anil Agrawal ના સામ્રાજ્યને આગળ ધપાવવા પુત્રી પર દારોમદાર
- વેદાંતા કંપનીના ચેરમેનના પુત્રનું અકાળે અવસાન થયું
- પુત્રના અવસાન બાદ કંપનીનું સામ્રાજ્ય પુત્રી સંભાળે તેવી પ્રબળ શક્યતાઓ
- હાલમાં પુત્રી પિતા જોડે ખભાથી ખભો મિલાવીને કામ કરી રહી છે
Vedanta Chairman Anil Agarwal Daughter Priya Agarwal : અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશ અગ્રવાલના અકાળ અવસાન પછી, એવું માનવામાં આવી રહ્યું છે કે, તેમની પુત્રી, પ્રિયા અગ્રવાલ હેબ્બરની વેદાંત ગ્રુપમાં જવાબદારી વધી શકે છે. હાલમાં, પ્રિયા અગ્રવાલ હેબ્બર હિન્દુસ્તાન ઝિંક લિમિટેડના અધ્યક્ષ અને વેદાંત લિમિટેડમાં બિન-કાર્યકારી ડિરેક્ટર છે. પ્રિયાના તેના પિતા, અનિલ અગ્રવાલ સાથેના સંબંધો ફક્ત પિતા અને પુત્રી જેવા જ નહીં, પણ એક ગુરુ અને શિષ્ય જેવા પણ છે.
Maine hamesha apne bachhon ko fighter banna sikhaya. I have mostly been hard on them aur kabhi spoil nahi kiya.
My daughter @PriyaAH_Vedanta despite being the younger one was never given any special privileges. We lived in Mayfair and had the resources but she always took the… pic.twitter.com/AgDrE0pPq1
— Anil Agarwal (@AnilAgarwal_Ved) August 10, 2024
પ્રિયાની ભૂમિકા વધી
અનિલ અગ્રવાલે તેમની પુત્રી, પ્રિયાને તેમના સંઘર્ષો અને શિક્ષણનો અનુભવ કરાવ્યો છે. તેમણે હંમેશા તેમની પુત્રીને જીવનના મુશ્કેલ પડકારોનો સામનો કરવા માટે પ્રોત્સાહિત કરી છે. હવે જ્યારે વેદાંત ગ્રુપના વ્યવસાયના વિસ્તૃતિકરણમાં પ્રિયાની ભૂમિકા વધી છે, ત્યારે તેણીએ તેના પિતા પાસેથી શીખેલા પાઠ તેણીને ખૂબ મદદ કરશે.
તમારા કામમાં સારા બનો
અનિલ અગ્રવાલની પુત્રી, પ્રિયા, લંડનની એક શાળામાં અભ્યાસ કરતી હતી. દરમિયાન તેણીને વિદ્યાર્થીઓમાં ભેદભાવનો સામનો કરવો પડ્યો હતો. તેણીએ આ વાત તેના પિતા સાથે શેર કરી હતી. આ મામલે એક પિતા તરીકે અનિલ અગ્રવાલે આશ્વાસન આપ્યું નહીં, પરંતુ એક વ્યવહારુ અને શક્તિશાળી મંત્ર આપ્યો હતો. તેમણે પ્રિયાને કહ્યું, "તમારા કામમાં સારા બનો, અને બીજા બધા અવરોધો પોતાની મેળે જ દૂર થઈ જશે." આ પાઠ પ્રિયાના જીવનનો પાયો બની ગયો હતો. અનિલ અગ્રવાલે પોતે એક ઇન્ટરવ્યુમાં આ વાર્તા કહી હતી.
મહિલા રેસ્ક્યૂ ટીમ વિઝનનું પરિણામ
વેદાંત ગ્રુપના વડાએ સમજાવ્યું કે, તેમની પુત્રી, પ્રિયા અગ્રવાલ હેબ્બર, હવે વ્યવસાય અને સામાજિક કાર્ય બંનેમાં તેમની સાથે ખભાથી ખભો મિલાવીને કામ કરે છે. તે વેદાંત ગ્રુપમાં ESG ટ્રાન્સફોર્મેશન (પર્યાવરણ, સામાજિક અને શાસન)નું પણ નેતૃત્વ કરી રહી છે. સાથે જ હિન્દુસ્તાન ઝિંક, કંપનીનું તે નેતૃત્વ કરે છે, તેમાં આજે પાંચ મહિલાઓ અને ચાર પુરુષો બોર્ડના સભ્યો છે. દેશની પ્રથમ સંપૂર્ણપણે મહિલા ખાણ રેસ્ક્યૂ ટીમ પણ પ્રિયાના વિઝનનું પરિણામ છે. તેણીને વર્લ્ડ ઇકોનોમિક ફોરમ (WEF) ના 2024 ના યંગ ગ્લોબલ લીડર્સ ક્લાસમાં સામેલ કરવામાં આવી હતી.
જમીની સ્તરે કામ કરવાનો અનુભવ
પ્રિયા ખાસ કરીને 'નંદ ઘર' પ્રોજેક્ટની દેખરેખ કરી રહી છે, જેનો ઉદ્દેશ્ય ભારતમાં લાખો બાળકો અને મહિલાઓના જીવનમાં પરિવર્તન લાવવાનો છે. અનિલ અગ્રવાલ ગર્વથી કહે છે કે, તેમની પુત્રી જમીની સ્તરે પર કામ કરે છે, અને દરેક પરિસ્થિતિમાં અનુકૂળ થાય છે. આ કહાની એક સફળ પિતા તેની આગામી પેઢીને આપેલા મૂલ્યો વિશે છે, જે વારસામાં મળેલી સંપત્તિ કરતાં વધુ મૂલ્યવાન છે.
જે કંઇ લીધુ તે પાછું આપવું જોઇએ
અનિલ અગ્રવાલને પણ સમાજ સેવાની ભાવના વારસામાં મળી હતી. તેમણે અગાઉ કહ્યું હતું કે, જ્યારે તેમની માતા અને અન્ય મહિલાઓ છઠ પૂજા દરમિયાન ગંગાજીને પાણી ચઢાવવા જતા હતા, ત્યારે તેઓ તેણીને તેના હાથોમાં ગંગાનું પાણી ભરતા અને મંત્રોનો જાપ કરતા, તેને ગંગામાં પાછું આપતા જોતા હતા. અનિલ અગ્રવાલ કહતા કે, આ દ્રશ્ય તેમના મનમાં અંકિત થઈ ગયું હતું - તેનો અર્થ હતો, "તમારી પાસેથી (પ્રકૃતિ/સમાજમાંથી) જે કંઈ લેવામાં આવ્યું છે, તમારે તે પાછું આપવું જોઈએ."
સંપત્તિનો મોટો ભાગ દાન કરશે
આ ફિલસૂફીએ તેમને શીખવ્યું કે, તેમની પાસે રહેલી અપાર સંપત્તિ વાસ્તવમાં તેમની નથી, પરંતુ સમાજની છે. તેઓ પોતાને ફક્ત તેમની સંપત્તિનો "ટ્રસ્ટી" માને છે. તેમણે પોતાની સંપત્તિનો મોટો ભાગ જાહેર કલ્યાણ માટે દાન કરવાનો સંકલ્પ કર્યો છે, કારણ કે, લોકો ખાલી હાથે આવે છે અને ખાલી હાથે જાય છે. તેઓ કહે છે કે, જે કંઈ લેવામાં આવે છે, તે અહીં પાછું આપવું જોઈએ, કારણ કે કંઈપણ તેમની સાથે લઈ જવાનું નથી.
આ પણ વાંચો --------- વિશ્વભરમાં ભારતના અર્થતંત્રની ગતિ તેજ, UN નો અહેવાલ સામે આવ્યો


